શું હવે ટુ-વ્હીલર ચાલકોએ પણ ટોલ ટેક્સ ભરવો પડશે? વાયરલ ન્યૂઝ બાબતે જાણો શું કહ્યું નીતિન ગડકરીએ
એક તરફ સરકાર ટોલ ટેક્સ માટે નવી નીતિ બનાવવાની તૈયારી કરી રહી છે ત્યારે એક વાઈરલ થયેલા સમાચારોએ ગુરુવારે સરકારી વિભાગોમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ સમાચાર એટલા વાઈરલ થયા અને ચર્ચા જાગી કે ખુદ માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરવી પડી અને સરકાર આવુ કાંઇ વિચારતી નથી તેવું કહેવું પડ્યુ હતું.

જે સમાચારો વાઈરલ થયા તે અનુસાર, 15 જુલાઈ, 2025થી ટુ-વ્હીલર વાહનો પર પણ ટોલ ટેક્સ લાગુ થશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જારી નવા નિયમ મુજબ, FASTag દ્વારા ટોલ ટેક્સની વસૂલાત કરવામાં આવશે, અને નિયમનું પાલન ન કરનારાઓને 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
આ પણ વાંચો : ફાસ્ટેગ બનશે મલ્ટી-યુઝ પ્લેટફોર્મ : વાહન ચાલકો મેમો અને પાર્કિંગ ચાર્જ, EV ચાર્જિંગ પણ ફાસ્ટેગ કાર્ડથી કરી શકશે
આ સમાચારો વાઈરલ થયા પછી નીતિન ગડકરીએ ટવીટ કરીને કહેવું પડ્યું કે, કેટલાક મીડિયા હાઉસ દ્વારા આવા ભ્રામક સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે. આવી કોઈ દરખાસ્ત નથી. ટુ-વ્હીલર્સ માટે ટોલ ટેક્સની મુક્તિ યથાવત જ છે.