બાળકની હત્યાના કેસમાં 25 વર્ષથી વોન્ટેડ મહિલાને આજીવન કેદની સજા : માસૂમનું ગળું દબાવી, માથામાં દસ્તો ઝીંકી ઉતાર્યો’તો મોતને ઘાટ
ધોરાજી ભાદર ઈરિગેશન આધૂનિકરણ કોલોનીમાં 29 વર્ષ પૂર્વે તા. 5-8-1996ના રોજ પાંચ વર્ષના બાળક જલદિપ ગીરધરભાઈ કોઠીયાની પાડોશી મહિલા અરૂણા ઉર્ફે અનિતા રાજેશ દેવમુરારીએ ઘરમાં ગળાચીપ આપી, માથામાં દસ્તો ફટકારી કરેલી હત્યાની ઘટનામાં વોન્ટેડ, ભાગેડુ મહિલા અરૂણાને ચાર દિવસ પૂર્વે ધોરાજીની અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. સજા પડતા ધોરાજી પોલીસે વોન્ટેડ મહિલાને વડોદરાથી શોધી કાઢી જેલ હવાલે કરી છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ગીરધરભાઈ કોઠીયા, રાજેશ દેવમુરારી, આર.એમ. કાનાબાર સહિતના તે વિભાગના કર્મચારીઓ ક્વાટર્સમાં બાજુ બાજુમાં રહેતા હતા. બાળકો નાના હોવાથી બાળકો વચ્ચે ઝઘડા થતા હતા જેને લઈને ક્રુર બનેલી પાડોશી મહિલા અરૂણા ઉર્ફે અનિતાએ પાડોશી ગીરધરભાઈના પાંચ વર્ષના પુત્ર જલદિપને પોતાના ઘરમાં બોલાવ્યો હતો અને ગળાચીપ દઈ દીધી હતી. બાળકને ઢસડીને રસોડામાં લઈ ગઈ હતી ત્યાં માથામાં દસ્તાના ઘા ફટકારી માથું છૂંદીને હત્યા કરી નાખી હતી. લાશને સુટકેશમાં મુકી દીધી હતી. સાંજે પતિ રાજેશપરી ઘરે આવતા તેણે પાડોશીના પુત્રને મારી નાખ્યાની અને લાશ બેગમાં હોવાની વાત કરી હતી. બાદમાં મહિલા પોતે જ ઘર પાછળના ભાગે લાશવાળી બેગને ફેંકી આવી હતી. એ દરમિયાન બાળક ગૂમ હોવાથી તેના પરિવાર, પાડોશીઓ શોધી રહ્યા હતા અને બેગમાંથી લાશ મળી હતી.
આ પણ વાંચો : એર ઇન્ડિયાનું શું થવા બેઠું છે? એક જ દિવસમાં વધુ 7 ફ્લાઇટમાં યાંત્રિક ખામી, ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બની ધમકી
બેગ ફેંકીને નજરે જોનાર વ્યક્તિએ વિગતો આપી હતી. ધોરાજી પોલીસે જે તે સમયે મહિલાની ધરપકડ કરી હતી. મહિલાએ હત્યા સમયે પહેરેલું ગાઉન ધોઈ નાખ્યું હતું. જો કે તેના નખ, ચપ્પલ તથા ઘરમાંથી બાળકના લોહીના સેમ્પલ મળી આવ્યા હતા.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર : રાજકોટના 9 સહિત સૌરાષ્ટ્રના 22 ડેમોમાં આવ્યા નવા નીર
FSL રિપોર્ટ સાથે સાંયોગિક પુરાવાઓ એકત્રિત કરાયા હતા. દરમિયાનમાં એક વર્ષ બાદ 1997માં મહિલા જામીન મુકત થઈ હતી. નિયમ મુજબ હાજરી પુરાવાની હોય પરંતુ 1999 બાદ મહિલા હાજરી પુરાવતી ન હતી અને ફરાર હતી. આરોપી મહિલા હાથ ન લાગતા ગત વર્ષે 2024 મહિલાને ભાગેડું જાહેર કરાઈ હતી. કેસ ચાલી જતાં સાંયોગિક પુરાવાઓ, અન્ય દસ્તાવેજી પુરાવા સહિતના મુદ્દાઓ દ્દાઓ તેમજ સરકાર પક્ષે એડી. એડી. પી.પી. કાર્તિકેય મનોજભાઈ પારેખની રજૂઆતો ધ્યાને લઈ જજ અલીહુશેન મોહીબુલના શેખ વારા સાપરાધ મનુષ્યવધ માનીને આજીવન કેદની સજા ફટકારાઈ છે. આજીવન કેદની સજા બાદ વોન્ટેડ મહિલા અરૂણાને ધોરાજીના એએસપી સિમરન ભારદ્વાજની રાહબરીમાં પીઆઈ કે.એસ. ગરચર તથા સ્ટાફે ચાર દિવસમાં શોધી કાઢી ઓળખ પુરાવા સાથે જેલ હવાલે કરી છે.