ભૂતો…ન ભવિષ્યતિ… રાજકોટને આવાં ‘નેતા’ નહિ મળે : નિવાસસ્થાને દર્શન માટે લોકોની કતાર લાગી
રાજકોટ આજે રાંક બની ગયું છે.. ન ભૂતો…ન ભવિષ્ય… રાજકોટને આવાં નેતા નહિ મળે, સદીઓ સુધી વિજયભાઈને લોકો યાદ કરશે.વિજયભાઈ રૂપાણીનાં નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી ખાતે દર્શન માટે લોકોની લાંબી લાઈન લાગી હતી. સવારથી શહેરીજનો ઉમટી પડ્યા હતા, બહેનો અને ભાઈઓ કલાકો સુધી વિજયભાઈનાં અંતિમ દર્શને કતારમાં ઉભા રહ્યા હતા.

આ પણ વાંચો : સ્વ.વિજયભાઈની વસમી વિદાય : હજારો રાજકોટવાસીઓ ભીની આંખે બોલ્યા,”તસવીર તમારી જોતા હૈયુ રડે છે
લોકોએ વિજયભાઈને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે, રાજકોટને એઇમ્સ,એરપોર્ટ વિજયભાઈના યોગદાન થકી મળ્યું છે, તો તેમની સાદગી અને નિખાલસ સ્વભાવ લોકોના હૃદયને સ્પર્શી ગયો છે.એક એવા નેતા હતા કે કાર્યકરોને પણ તેઓ સમજતાં,વિજયભાઈએ કાર્યકરોને ખૂબ જ સાચવ્યા છે, જે કાર્યકરોને આર્થિક જરૂરિયાત હોય તો તેમને ખબર ન પડે એમ તેમના ઘરે જરૂરતની વસ્તુઓ પહોંચી જતી, સૌરાષ્ટ્રનું ઉપરાણું લેવાવાળી વ્યક્તિ જતી રહી છે. રાજકોટ ‘રાંક’ બની ગયું છે.