પોલીસ જાપ્તા વચ્ચે નાસી જવાના કેસમાં કુતિયાણાના ધારાસભ્ય જાડેજાને દોઢ વર્ષની સજા મળેલી
રાજકોટ પોલીસ જપ્તા માંથી ફરાર થવાના કેસમાં કાંધલ જાડેજાને હવે જેલમાં જવું નહી પડે
► ભાગી છુટયા બાદ પકડાતા કાંધલ એક વર્ષ જેલમાં હોય, સજા મજરે અપાતા હવે જેલમાં નહી રહેવું પડે
રાજકોટમાં વર્ષ ૨૦૦૯માં પોલીસ જાપ્તા વચ્ચેથી ખાનગી હોસ્પિટલમાંથી ફરાર થઇ જવાના કેશમાં કાંધલ જાડેજાને કોર્ટે દોઢ વર્ષની સજા ફટકારી હતી.જેમાં અપીલમાં જતા ઉપલી કોર્ટે છ માસની સજા માફ કરી 1 વર્ષની સજા નજરે આપતા હવે કાંધલ જાડેજાને એક દિવસ પણ જેલમાં નહી રહેવું પડે. આ કેસમાં કોર્ટે દોઢ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. જે કેસમાં એક વર્ષનો સમય જેલમાં વિતાવ્યો હોય જે હકિકત સેશન્સ કોર્ટે ધ્યાને લઈને નીચેની કોર્ટે કરેલ દોઢ વર્ષની સજામાંથી છ મહિનાની સજા માફ કરતા હવે કાંધલ જાડેજાને જેલમાં નહીં જવું પડે.નીચેની કોર્ટે તેને દોઢ વર્ષની સજા કરતો હુકમ કરેલો હતો જે હુકમમાં છ માસની સજા ઘટાડવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં કાંધલ જાડેજા વતી એડવોકેટ તરીકે રાજકોટના અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના અંશ ભારદ્વાજ દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા, તારક સાવંત, ગૌરાંગ ગોકાણી રોકાયેલ હતાં.