ગામડે વેકેશન કરવા આવેલી કોલજીયન યુવતીએ કુવામાં પડતું મૂકી કર્યો આપઘાત : કારણ અકબંધ
રાજકોટ કોલેજમાં અભ્યાસ કરતી અને મૂળ જસદણના કાળાસર ગામે રહેતી 19 વર્ષીય કોલેજીયન યુવતીએ વાડીમાં કુવામાં પડતું મૂકી આપઘાતા કરી લેતા નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડયો હતો.
મળતી માહિતી મુજબ,જસદણના કાળાસર ગામે રહેતી 19 વર્ષીય પ્રિયા દેહાભાઈ સાકરીયા નામની યુવતીએ પોતાની વાડીમાં આવેલા કૂવામાં ઝંપલાવી લીધું હોય જેથી તુરંત સ્થાનિક તરવૈયા દ્વારા પ્રિયાને બહાર કાઢતા જ 108ની ટીમે તપાસ કરતાં તેણીનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં જ નાના એવા કાળાસર ગામમાં અરેરાટી મચી જવા પામી હતી ઘટના અંગે જસદણ પોલીસે જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક પ્રિયા રાજકોટ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી તેણીને વેકેશન હોય જેથી વતન ગઈ હતી. ત્યારે યુવતીએ ક્યાં કારણસર આ પગલું ભર્યું તે જાણવા પોલીસે પરિવારનું નિવેદન નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.