પહેલગામ આતંકી હુમલાની તપાસ કોને હવાલે કરાઇ ? વાંચો
પહેલગામ આતંકી હુમલાને લઈ રવિવારે મોટા સમાચાર સામે આવ્યા હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) હવે આ કેસની તપાસ કરશે. એનઆઈએની ટીમ પહેલગામ પહોંચી ગઈ છે અને કામ શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકી હુમલાની તપાસ કરવાની જવાબદારી એનઆઈએને સોંપી છે. આમ હવે સત્ય બહાર આવશે અને બધુ જાણવા મળશે અને આતંકી કેવી રીતે અંદર કવ્યા અને કોણે ટેકો આપ્યો તે વાત
ગૃહ મંત્રાલય દ્વારા આ અંગે નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એનઆઈએ સ્થાનિક પોલીસ પાસેથી પહેલગામ હુમલા સાથે જોડાયેલી કેસ ડાયરી અને એફઆઈઆરની કોપી પણ મેળવશે.
પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના તાર પંજાબ સાથે પણ જોડાયેલા છે. પંજાબના બે જિલ્લા અમૃતસર અને ફિરોઝપુરમાં એનઆઈએની ટીમો ત્રાટકી છે. એનઆઈની ટીમે પાંચ હોટલો તથા ફિરોઝપુરમાં એક હોટલ કારોબારીના ઘર પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
એનઆઈએ દ્વારા આ કાર્યવાહી બંને જિલ્લામાં તાજેતરમાં પાકિસ્તાનમાં થયેલા ફોન કોલ બાદ કરી છે. ટીમે હોટલોમાંથી રિકોર્ડ અને ફિરોઝપુરમાં હોટલ કારોબારીના મોબાઇલ અને લેપટોપ કબજામાં લીધા છે.