રાજકોટના P.I. વી.એસ.વસાવાને મળી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ? જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટ શહેર પ્રદ્યુમન નગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર વી.એસ. વસાવાને રાજકોટ સેસન્સ કોર્ટ દ્વારા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ અપાતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે. સમન્સ બજવણી મામલે નોટિસ ઇસ્યુ કરાઈ હોવાનું જાણવા મળે છે. નોટિસ બાબતે પી.આઈ. વસાવાએ પોતાને કોઈ નોટિસ ન મળ્યાનું જણાવ્યું હતુ.
નોટિસ સંદર્ભે સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આજે ડિસ્ટ્રીકટ સેસન્સ કોર્ટમાં એડી. સેસન્સ જજ પી.જે. તમ્બાકુવાલા દ્વારા પી.આઈ. વિક્રમ વસાવાને નોટિસ ઇસ્યુ કરાઈ છે. કોર્ટ સમન્સ બજવણી થતાં ન હોવાની સરકારી વકિલ દ્વારા રજૂઆત કરાઈ હતી. એવી વાત છે કે પી.આઈ. સમન્સ ન બજાવે જે બાબતે સરકારી વકિલ મુકેશ પીપળીયા દ્વારા લેખિત રજૂઆત કરાઇ હતી.
કોર્ટ દ્વારા ઇસ્યુ થતાં વોરંટ બજવણી સંદર્ભે આજે પી.આઈ. વી.એસ. વસાવાને કોર્ટે નોટિસ આપી છે. જે સંદર્ભે જિલ્લા સરકારી વકિલ એસ.કે. વોરાએ આવી ઓઈ નોટિસ આપી હોવાનું ધ્યાને આવ્યુ છે. જ્યારે એ.પી.પી. પીપળીયાના કહેવા મુજબ આવું કાંઇક બન્યું છે પણ પોતે સવારે કોર્ટે જાય ત્યારે ખરો ખ્યાલ આવે કે કંઈ નોટિસ ઇસ્યુ કરાઈ છે. હાલ તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ અપાઈ હોવાનું જાણવા મળે છે. નોટિસ સંદર્ભે પી.આઈ. વી.એસ. વસાવાનો સંપર્ક કરાતા તેમના કહેવા મુજબ પોતે કોઈ શબ્દો બોલ્યા નથી અને નોટિસ મળી નથી.
જો કે પી.આઈ.ને નોટિસ અપાયાનું આજે કોર્ટ કમ્પાઉન્ડ વર્તુળો, વિકલ આલમ, પોલીસબેડામાં પણ ચર્ચા ચાલી હતી. જે બાબત જિલ્લા સરકારી વીકલ વોરા તથા એ.પી.પી. પીપળીયાએ નોટિસ અપાઈ હોવાનું ધ્યાને આવ્યું છે પરંતુ ક્યાં પ્રકારની નોટિસ છે તે ખ્યાલ નથીનું જણાવ્યુ હતું.
કંટેમ્પટ ઓફ કોર્ટ એટલે શું ?
ભારતમાં કોર્ટનો તિરસ્કાર, જે 1971ના કોર્ટના તિરસ્કાર અધિનિયમ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે, તે એવી ક્રિયાઓનો ઉલ્લેખ કરે છે જે કોર્ટના અધિકારનો અનાદર કરે છે અથવા તેને નબળી પાડે છે. તેને નાગરિક અને ફોજદારી તિરસ્કારમાં વર્ગીકૃત કરી શકાય છે. નાગરિક તિરસ્કારમાં કોર્ટના આદેશો અથવા ચુકાદાઓનો ઇરાદાપૂર્વક અનાદર શામેલ છે. ફોજદારી તિરસ્કારમાં એવી ક્રિયાઓનો સમાવેશ થાય છે જે કોર્ટના અધિકારને બદનામ કરે છે અથવા પૂર્વગ્રહ રાખે છે અથવા ન્યાયના વહીવટમાં દખલ કરે છે.