મારાથી બ્રેક જ ન લાગી…રાજકોટમાં 4 લોકોનો ભોગ લેનાર સિટી બસ ડ્રાયવર ખાટલે સૂતા પણ ખોટું બોલે છે ?
રાજકોટ શહેરમાં ગઈકાલે બુધવારે સવારે ગોઝારો અકસ્માત સર્જીને ચાર-ચાર વ્યક્તિનો ભોગ લેનાર મહાપાલિકા સંચાલિત સિટી બસનો ડ્રાઈવર ખાટલે સૂતો (સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ) પણ ખોટું બોલતો હોય તેમ કહી દીધું કે જેવું સિગ્નલ ખૂલ્યું કે મેં બસ ચલાવી અને મારાથી પછી બ્રેક જ ન લાગી. બીજા વાહનો સાથે અથડાતાં અથડાતાં બસ જાતે જ ઉભી રહી ગઈ, ખોટું બોલવાની પણ હદ હોય ને, સીસીટીવી ફૂટેજ જ સ્પષ્ટ કહી દે છે કે અકસ્માત બાદ એક ઝટકે બ્રેક લગાવતા જ બસ ત્યાંને ત્યાં જ થંભી ગઈ હતી. જાતે જ આવી વાતો ઘડી કાઢી કે કોઈએ પોપટવાણી પઢાવી હોય તેમ ડ્રાઈવર બોલતો હશે ? તે તો પોલીસની તપાસનો વિષય છે.
મહાપાલિકા સંચાલિત સિટી બસ સેવામાં પ્રધુમન પાર્કથી લાઈટ હાઉસ રૈયા રૂટની જી.જે.૦3-બી.ઝેડ.0466 નંબરની ઈ-પર બસનો ચાલક શિશુપાલસિંહ દિલુભા રાણા ગઈકાલે સવારે પ્રધુમન પાર્કથી કોટેચા ચોક સર્કલથી ઈન્દિરા સૂર્કલ પહોંચ્યો હતો. સાઈટ સિગ્નલ બંધ રાખી ખૂલ્યું કે બસને ભગાવતા ધડાધડે-ઘડાયડ ત્ર સીસીટીવી ફૂટેજમાં દેખાતા સમય મુજબ સવારે 9 કલાકે 55 મિનિટ અને 22મી સેકન્ડે વાહનોને ઠોકરે લેતો ગયો અને માત્ર ચોથી સેકન્ડે ર૬મી સેકન્ડે તો ચાર વ્યક્તિના જીવ લઈ લીધા. આઠથી વધુ ઘાયલ થયા અને બસ અચાનક બ્રેક સાથે ત્યાં જ ઉભી રહી ગઈ હતી.
જીવલેણ અકસ્માતના પગલે રોપે ભરાયેલા ટોળાએ બસ ચાલકને બેરહેમીથી માર માર્યો હતો. સારવારમાં સિવિલમાં ખસેડાયો હતો. ગઈકાલે થોડીવારમાં જ સારવારગ્રસ્ત બસ ચાલક પાસે સી.પી., મ્યુ.કમિશનર, અન્ય અધિકારીઓ તથા રાજકીય માથાઓ પહોંચી ગયા હતા. ચાલકને કોઈ ન મળી શકે અથવા તો ગુનો નોંધાયો હોવાથી સારવારમાંથી ક્યાંય સરકી ન જાય તે માટે ખાટલે સુતેલા ચાલક પર પોલીસ પહેરો ગોઠવી દેવાયો હતો. આજે હોસ્પિટલ બીછાને રહેલા ચાલક શિશુપાલસિંહ રાણાએ મીડિયા સમક્ષ એવું રટણ કર્યું કર્યું હતું કે સિગ્નલ ખૂલ્યું, બસ ચલાવી અને મારાથી બ્રેક જ ન લાગી અને ભટકાતા-ભટકાતા બસ ઉભી રહી ગઈ હતી. છ વર્ષથી ડ્રાઈવિંગ કુરું છું, લાઈસન્સ બાબતે બચાવ કરતાં કહ્યું કે, મેં લાઈસન્સ રિન્યુ કરાવવા આપ્યું છે. પોલીસ કદાચ માગે તો સાથે એક કોપી રાખતો હતો.
ઇલેક્ટ્રિક સાધન છે, ખબર નહીં શું થઇ ગયું? તો 134 બસનું શું?
સારવારગ્રસ્ત ચાલકે એવા શબ્દો પણ ઉચ્ચાર્યા હતા કે બ્રેક ન લાગી પણ ખબર નહીં ઈલેક્ટ્રીક સાધન છે શું થઈ ગયું ? કદાચ ખામી આવી ગઈ હોય ? જો ડ્રાઈવરના આવા શબ્દો હોય કે ઈલેક્ટ્રીક સાધન છે તો રાજકોટમાં આવી તો 134 ઈલેક્ટીક સિટી બસ દોડે છે તો શું આવી બધી બસો રસ્તા પર ગમે ત્યારે ઈલેક્ટ્રીક વાહન છે ને કાંઈક થઈ જાય તો યમદૂત માનવી ? ખરેખર ઈલેક્ટ્રીક વાહનને લઈને ફોલ્ટ થયો હોય તો અન્ય બસોનું તાત્કાલીક ચેકઅપ થવું જોઈએ. બસને પણ માત્ર 19 મહિના જ થયા છે. આવા ટૂંકાગાળામાં ઈલેક્ટ્રીક સિસ્ટમમાં ખામી આવે ખરી ? કે પછી ડ્રાઈવર ખાટલેથી આવા શબ્દો કહીને પોતાનો બચાવ કરી રહ્યો છે. જો બસમાં ખરેખર બ્રેકમાં ખામી હોત તો અકસ્માત બાદ બસ ઊભી રહી તે પછી ‘ટો’ કરીને લઇ જવી પડી હોત. પરંતુ બસ ચલાવીને લઈ જવાઈ હતી એટલે બસની બ્રેકમાં ખામી હોવાની વાતમાં તથ્ય નથી.