હળવદમાં હૈયું હચમચાવતી ઘટના : ટ્રેનની અડફેટે આવી જતા બે બાળકોના નિપજ્યાં મોત, માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત
મોરબીના હળવદમાં હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે જેમાં બાળકો સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલી મહિલાને અકસ્માત નડ્યો હતો જેમાં ટ્રેનની અડફેટે આવી બે બાળકોના માતા સામે જ મોત નિપજતા અરેરાટી મચી જવા પામી હતી જ્યારે માત ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે તેમજ એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. ત્યારે ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
નાવની પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ તાલુકાના રણજીતગઢ અને કેદારીયા ગામની વચ્ચે આવેલા 109 નંબરના નાલા પાસે આજે બપોરે 12:30 વાગ્યાના અરસામાં મંગુબેન દશરથભાઈ બજાણીયા નામના મહિલા તેના ત્રણ બાળકોને લઈને રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રેનની હડફેટે બે બાળકોના મોત માતાની નજર સામે મોત નિપજ્યાં હતા.
આ અકસ્માતમાં ગોપીબેન દશરથભાઈ બજાણીયા ઉ.વ.5 અને નિકુલ દશરથભાઈ બજાણીયા ઉ.વ. 3.5ના મોત નિપજ્યા છે. જ્યારે તેમના માતા મંગુબેન દશરથભાઈ બજાણીયાને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં અન્ય એક દોઢ વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. આ મામલે રેલવે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.