અંતે એકનાથ શિંદે મહારાષ્ટ્રનાં ડેપ્યુટી CM બનવા માટે માની ગયા !! કાલે સાંજે શપથ ગ્રહણ કરશે
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈને છેલ્લા 12 દિવસથી ચાલી રહેલ સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. મુંબઈમાં બીજેપી વિધાયક દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને સર્વસંમતિથી મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આવતીકાલે તેઓ પદના શપથ લેશે. તેઓ ત્રીજી વખત મહારાષ્ટ્રના સીએમ બનશે. સાથે જ એકનાથ શિંદે પર જે સસ્પેન્સ હતો તે સમાપ્ત થયો છે તેઓ ડેપ્યુટી સીએમ બનવા માટે અંતે માણી ગયા છે. ત્યારે કાલે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ તરીકે અજીત પવાર અને એકનાથ શિંદે શપથ લેશે.
એકનાથ શિંદે આખરે ડેપ્યુટી સીએમ બનવા માટે સંમત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ આવતીકાલે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. મતલબ કે શિંદે પણ સરકારનો હિસ્સો હશે. અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં ફડણવીસે શિંદેને સરકારમાં સામેલ થવા વિનંતી કરી હતી. હવે જોવાનું એ રહે છે કે શિંદેને કયો વિભાગ સોંપવામાં આવશે.
ફડણવીસ ફરી એકવાર શિંદેને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. આ પહેલા, લગભગ ત્રણ કલાક પહેલા, બંનેએ સાથે મળીને રાજ્યપાલ પાસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. સાંજે થયેલી મીટિંગમાં બંને પાવર શેરિંગ અને પોર્ટફોલિયો ડિવિઝન વિશે વાત કરી હતી.
આવતીકાલે યોજાશે શપથગ્રહણ સમારોહ
ભાજપના દિગ્ગજ નેતા ફડણવીસ ગુરુવારે સાંજે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરશે. બુધવારે વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ ફડણવીસે એકનાથ શિંદે અને અજીત પવાર સાથે રાજ્યપાલ પાસે પહોંચીને સરકાર રચવાનો દાવો કર્યો હતો અને રાજ્યપાલે તેમને સરકાર રચવા આમંત્રણ પણ આપ્યું હતુ. ગુરુવારે સાંજે મુંબઈના આઝાદ મેદાનમાં વડાપ્રધાન સહિતના અનેક નેતાઓની ઉપસ્થિતિમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણ કરશે. તેમની સાથે બે નાયબ મુખ્યમંત્રી પણ શપથ લેશે. આ ઘટનાક્રમની સાથે જ મહારાષ્ટ્રમાં ચાલી રહેલું અટકળોનું માર્કેટ ઠંડુ થઇ ગયુ છે. આ પૂર્વે સવારે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક કેન્દ્રીય નિરીક્ષકો નિર્મલા સીતારામન અને વિજય રૂપાણીની હાજ્રીમા મળી હતી અને તેમાં સર્વસંમતીથી દેવેન્દ્ર ફડણવીસને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.
