Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં હોર્સ ટ્રેડિંગની સંભાવના બન્ને ગઠબંધનોએ શસ્ત્રો સજાવ્યા

Sat, November 23 2024

ધારાસભ્યોને સલામત સ્થળે ખસેડવા હોટેલો બુક કરી દેવાઈ, હેલિકોપ્ટરો તૈયાર: બેઠકોનો ધમધમાટ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો 23 મી તારીખે જાહેર થાય તે પહેલાં શુક્રવારે બન્ને ગઠબંધનોના ટોચના નેતાઓ વચ્ચે આગામી રણનીતિ નક્કી કરવા માટે બેઠકોનો દૌર ચાલ્યો હતો.

મતદાન પૂર્ણ થયા બાદ જાહેર થયેલા મોટાભાગના એકઝિટ પોલમાં ભાજપ,શિવસેના ( શિંદે ) અને એનસીપી ( અજીત પવાર)ના ગઠબંધન મહાયુતીને સ્પષ્ટ અને પ્રતિતીજનક બહુમતી મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે પણ તાજેતરની ચૂંટણીઓમાં થયેલા એક્ઝિટ પોલના રકાસ બાદ એક પણ પક્ષ કોઈ તક લેવા માંગતો નથી.કોંગ્રેસ, એનસીપી ( શરદ પવાર ) અને શિવસેના (ઠાકરે )ના ગઠબંધન મહા વિકાસ અઘાડીએ પણ એકઝિટ પોલના તારણોને ફગાવી દઈ સ્પષ્ટ બહુમતી મળવાનો દાવો કર્યો હતો. ટુંકમાં બન્ને ગઠબંધનો વિજય નો દાવો તો કરી રહ્યા છે પણ સાથે જ આ અત્યંત જટીલ ચૂંટણીમાં કાંઈ પણ બની શકે છે તેવું અંદરખાને સ્વીકારે છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં સાદી બહુમતી માટે 145 બેઠકોની જરૂર પડે છે.જો કોઈ પણ ગઠબંધન એ જાદુઈ આંક સુધી પહોંચી ન શકે અને અપક્ષો કે અન્ય નાના પક્ષોના ટેકાની જરૂર પડે તો તેવા સંજોગોમાં મહારાષ્ટ્રમાં હૉર્સ ટ્રેડિંગ થવાની શક્યતા રાજકીય વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.અને એટલે જ એ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા બન્ને ગઠબંધનોએ પૂર્વ તૈયારી કરી લીધી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર પોતાના પક્ષના, ગઠબંધનના અને અપક્ષ કે અન્ય પક્ષોના વિજેતા ઉમેદવારોને હરીફ છાવણી થી બચાવવા માટે મોટાપાયે હોટેલોનું બુકિંગ કરી દેવાયું છે.ટોચના નેતાઓ માટે હેલિકોપ્ટરો પણ બુક કરી દેવાયા છે.બધા વિજેતા ધારાસભ્યોને એક સાથે રાખવા માટે આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

એ પૂર્વે શુક્રવારે મુંબઈની એક હોટલમાં કોંગી નેતા બાલાસાહેબ થોરાટ, એનસીપી (શરદ પવારના) નેતા જયંત પાટીલ અને શિવસેના( ઠાકરે)ના નેતા સંજય રાઉત વચ્ચે બે કલાક બેઠક ચાલી હતી. બાદમાં બધા નેતાઓ અલગ અલગ રીતે શરદ પાવર તથા ઉદ્ધવ ઠાકરેને પણ મળ્યા હતા.

ભાજપે અપક્ષોને સાથે રાખવાનો મમરો મૂક્યો

ભાજપે તો ‘ ત્રીજા પરિબળ ‘ નો સહકાર લેવાની ગર્ભિત જાહેરાત પણ કરી દીધી હતી.મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ શુક્રવારે કહ્યું કે એકલા ભાજપને 105 બેઠકો મળશે.શિવસેના અને એનસીપીના ઉમેદવારો પણ મોટી સંખ્યામાં વિજયી બનશે અને એ સંજોગોમાં મહાયુતી ને સ્પષ્ટ બહુમતી મળશે તે નક્કી છે.બાદમાં તેમણે કહ્યું કે સરકાર રચવા માટે જરૂર નહી હોય તો પણ ભાજપ અપક્ષોને સાથે રાખીને ચાલશે. તેમણે કહ્યું કે અપક્ષો પોતાના મતક્ષેત્ર ના વિકાસ માટે હંમેશા સતાધારી પક્ષને ટેકો આપતા રહ્યા છે. રાજકીય સૂત્રો નું સાચું માનીએ તો ભાજપે અપક્ષ અને અન્ય પક્ષના સંભવિત વિજેતા ઉમેદવારો સાથે સંપર્ક સ્થાપી પણ દીધો હતી.

વિપક્ષોને ભાજપના ‘ ઓપરેશન લોટસ ‘ ની આશંકા

કોંગ્રેસના ભૂતપૂર્વ રાજ્ય પ્રમુખ બાલા સાહેબ થોરાટે એક્ઝિટ પોલના પરિણામો ઉપર બહુ ધ્યાન ન આપવા સલાહ આપી હતી. તેમણે મહા વિકાસ અઘાડીને સ્પષ્ટ બહુમતી મળશે તેવો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે અપક્ષો કે અન્ય પક્ષનો ટેકો લેવાની જરૂર ઊભી થશે તેવું અમને લાગતું નથી. જો કે તેમણે શ્રીશંકુ ધારાસભા રચાવાના સંજોગોમાં સરકાર દ્વારા ખેલ પાડવામાં આવશે તેવો ભય વ્યક્ત કર્યો હતો. તેમણે ઓપરેશન લોટસ નો ઈતિહાસ વર્ણવી, જો ભાજપ સિંગર લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવે તો બહુમતી મેળવનાર ગઠબંધનને નહીં પરંતુ ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં આવશે તેવી આશંકા દર્શાવવી હતી. તેમણે કહ્યું કે અમે ગઠબંધનના તમામ વિજેતા ઉમેદવારોને એક સાથે રાખવાનું આયોજન ઘડી કાઢ્યું છે.

ત્રણ દિવસમાં સરકારનું ગઠન ન થાય તો રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય

મહારાષ્ટ્રની વર્તમાન વિધાનસભાની મુદત 26 નવેમ્બરે પૂરી થાય છે.તે પહેલા નવી સરકારનું ગઠન કરવું આવશ્યક છે.જો એક પણ ગઠબંધન એ અવધિ સુધીમાં સરકાર ન રચી શકે તો રાષ્ટ્રપતિ શાસન લાદવું પડે તેવી બંધારણીય જોગવાઈ છે.જો કે બંધારણના નિષ્ણાંતોના મત મુજબ કોઈ ગઠબંધનને બહુમતી ન મળી હોય તો પણ રાજ્યપાલ તેમના અધિકારનો ઉપયોગ કરી અને કોઈ પક્ષ કે ગઠબંધનને સરકાર રચવાનું આમંત્રણ આપી શકે છે.આ સંજોગોમાં રાજ્યપાલની ભૂમિકા ખૂબ મહત્વની બની રહેશે.

મહાયુતીમાં મુખ્યમંત્રીપદ માટે ખેંચતાણ બધા પક્ષો સોગઠાં ગોઠવવા લાગ્યા

મહારાષ્ટ્રમાં મતદાન પૂર્ણ થયા બાદ તરત જ મહા વિકાસ આઘાડીમાં મુખ્યમંત્રી પદ માટે સામ સામે તલવારો ખેંચાઈ ગઈ હતી. મહારાષ્ટ્રના કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ મહા વિકાસ અઘાડીના ઘટક પક્ષોમાં સૌથી વધારે બેઠકો કોંગ્રેસને મળવાની હોવાથી કોંગ્રેસનો જ મુખ્યમંત્રી બનશે તેવી જાહેરાત કરી દીધી હતી. તેમના આ નિવેદનનો શિવસેના ઠાકરેના નેતા સંજય રાઉતે જબ્બર વિરોધ કરી, ગઠબંધનના તમામ પક્ષો સાથે બેસીને જ મુખ્યમંત્રીનું નામ નક્કી કરશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી પદ માટે માત્ર મહા વિકાસ અઘાડીમાં જ નહીં પરંતુ મહાયુતીમાં પણ ખેંચતાણ શરૂ થઈ રહી હોવાના એંધાણ મળી રહ્યા છે. નોંધનીય છે કે એ ગઠબંધનમાં આ અગાઉ મુખ્યમંત્રીના નામ અંગે એક કરતાં વધારે નિવેદનો આવ્યા છે.

એકનાથ સિંધી વર્તમાન મુખ્યમંત્રી હોવા છતાં મહા વિકાસ અઘાડીએ મુખ્યમંત્રી નું નામ જાહેર નહોતું કર્યું. વચ્ચે એક વખત એકનાથ શિંદે, અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસની સંયુક્ત પત્રકાર પરિષદમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે તેવા પ્રશ્નોનો ફડણવીસે ‘ મુખ્યમંત્રી અત્યારે અહીંયા જ ઉપસ્થિત છે’ એવું અનેકાર્થી નિવેદન કર્યું હતું. ગૃહ મંત્રી અમિત શાહે મુંબઈની મુલાકાત દરમિયાન પરિણામો નક્કી થયા બાદ મુખ્યમંત્રી નું નામ નક્કી કરવાની જાહેરાત કરી એકનાથ શિંદે જ મુખ્યમંત્રી બનશે એવી ચર્ચાની હવા કાઢી નાખી હતી. એકનાથ શિંદેએ પોતે મુખ્યમંત્રી પદની રેસમાં ન હોવાનું કહ્યું હતું.નોંધનીય છે કે આ ચૂંટણીમાં મહાયુતીમાં સૌથી વધારે ઉમેદવારો ભાજપના છે અને ચુંતનારા ધારાસભ્યોમાં પણ ભાજપની સંખ્યા અન્ય પક્ષો કરતા વધારે હશે. આ સંજોગોમાં ભારતીય જનતા પક્ષ મુખ્યમંત્રી પદનો તાજ એકનાથ શિંદેને પહેરાવશે કે કેમ તે અંગે રહસ્ય સર્જાયું છે. આ બધા વચ્ચે શિવસેનાના ધારાસભ્ય તથા પ્રવક્તા સંજય શ્રીસતે એકનાથ શિંદેને જ મુખ્યમંત્રી બનાવવાની હિમાયત કરી દીધી હતી. તેમણે કહ્યું કે આ ચૂંટણી એકનાથ શિંદેના મુખ્યમંત્રી પદ હેઠળ લડવામાં આવી છે. મતદારોએ શિંદે માટે મત આપ્યા છે. અમે માનીએ છીએ કે મુખ્યમંત્રી બનવાનો એકનાથ શિંદેનો અધિકાર છે અને અમને વિશ્વાસ છે કે તેમને જ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

તેમના આ નિવેદન બાદ ભાજપના નેતા પ્રવીણ ડેરકરે મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ વહેતું કરી દીધું હતું. તેમણે મગ નું નામ મરી પડ્યા વગર કહ્યું કે ભાજપમાંથી જો કોઈ મુખ્યમંત્રી બનશે તો એ દેવેન્દ્ર ફડણવીસ જ હશે. મહાયૂતીના ત્રીજા ઘટક પક્ષ એનસીપી (અજીત પવાર)એ પણ મુખ્યમંત્રી પદની દાવેદારી ઠોકી દીધી હતી. એ પક્ષના પ્રવક્તા અમોલ મિતકારીએ અજીત પવારનું નામ આગળ ધર્યું હતું. તેમણે એવું સૂચક નિવેદન આપ્યું કે ચૂંટણીના પરિણામ ગમે તે આવે પણ કિંગ મેકર તો એનસીપી જ બનશે. પુણેમાં અજીત પવારને મુખ્ય મંત્રી દર્શાવતા બેનહર લાગ્યા હતા જે બાદમાં વિવાદ થતાં ઉતારી લેવામાં આવ્યા હતા.

કયા પક્ષના કેટલા ઉમેદવાર

મહાયુતી
ભાજપ 149
શિવસેના 81
એનસીપી 59

મહા વિકાસ અઘાડી
કોંગ્રેસ 101
શિવસેના ( ઠાકરે) 95
એનસીપી ( શરદ પવાર) 86

ચૂંટણી પહેલા ક્યાં પક્ષના કેટલા ધારાસભ્યો હતા?

મહાયુતી
ભાજપ. 102
શિવસેના (શિંદે). 38
એનસીપી (અજીત પવાર) 40

મહા વિકાસ અઘાડી
કોંગ્રેસ. 37
શિવસેના ( ઠાકરે ) 16
એનસીપી (શરદ પવાર) 12

Share Article

Other Articles

Previous

મહારાષ્ટ્રમાં મહાયુતિ કે મહાઅપસેટ ? આજે ફેંસલો

Next

વાવ વિધાનસભાની બેઠક ઉપર કોનો વાવટો ફરકશે ? : આજે પરિણામ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

હિટવેવ ઇફેક્ટ : રાજકોટમાં લોકો ગરમીથી બફાયા, 5 દિવસમાં 450 મેગાવોટ વીજ વપરાશ વધ્યો
ગુજરાત
2 મહિના પહેલા
શું તમે પણ iPhone ચાર્જ કરવામાં તો નથી કરી રહ્યાં ને આ ભૂલ ?
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
શિયાળામાં ગાલ ફાટવાની સમસ્યા કોમન છે : ઘરેલું ઉપાયથી ત્વચા થશે કોમળ
હેલ્થ
1 વર્ષ પહેલા
નિકાહ મુદે કરાયેલા હુમલામાં ત્યક્તાએ સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો
ક્રાઇમ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર