Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિકહોમ

Bhai Dooj 2024 : જાણો શા માટે ઉજવવામાં આવે છે ભાઈબીજનો તહેવાર ?? યમરાજ તેમજ શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે કથા

Sun, November 3 2024

ભાઈબીજના તહેવારનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે.ભાઈબીજનો તહેવાર બહેન અને ભાઈ પ્રત્યે વિશ્વાસ અને પ્રેમનો છે. દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની બીજી તારીખે ભાઈ દૂજનો તહેવાર ઉજવવામાં આવે છે. ભાઈ દૂજ દેશભરમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભાઈબીજનો તહેવાર 3જી નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને સ્નેહનું પ્રતીક માનવામાં આવે છે. ભાઈબીજના દિવસે બહેનો ભાઈના કપાળ પર તિલક કરે છે અને મિઠાઈ ખવડાવીને તેમને નારિયેળ આપે છે.

તમામ જગ્યાએ ભાઈબીજ માટેની અલગ અલગ માન્યતાઓ હોય છે. ઉત્તર ભારતમાં બહેનો ભાઈઓને તિલક અને અક્ષત લગાવીને નારિયેળ ભેટમાં આપે છે. પૂર્વીય ભારતમાં બહેનો શંખનાદ પછી તિલક લગાવીને ભેટ આપે છે. આ દિવસે બહેનો ભાઈઓના દીર્ઘાયુ માટે વ્રત કરે છે અને ભોજન કરાવ્યા પછી વ્રત ખોલે છે.

ભાઈબીજ શા માટે ઊજવવામાં આવે છે ?
ભાઈબીજના દિવસે ભાઈને તિલક કર્યા પછી ભોજન કરાવવાની ધાર્મિક માન્યતા છે. કહેવામાં આવે છે કે, બહેનો આ દિવસે શ્રદ્ધા અને આદરપૂર્વક તિલક તથા ભોજન કરાવે છે. જે ભાઈઓ બહેનના આતિથ્યનો સ્વીકાર કરે છે, તેમની તમામ ઈચ્છા પૂર્ણ થાય છે અને યમરાજનો ભય રહેતો નથી. આ દિવસે બહેનના ઘરે ભાઈ ભોજન કરે તો અકાળ મૃત્યુનું જોખમ દૂર થાય છે. ઉપરાંત સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને ધનની પ્રાપ્તિ થાય છે.

ભાઈબીજની પૌરાણિક કથા
સ્કંદપુરાણ અનુસાર ભગવાન સૂર્ય અને તેમના પત્ની સંજ્ઞાને બે સંતાન (યમરાજ-દીકરો, યમુના-દીકરી) હતા. યમરાજ પાપીઓને દંડ આપતા હતા. યમુના મનથી પવિત્ર હતા અને તે લોકોને દુખી જોઈ શકતા નહોતા, આ કારણોસર તે ગોલોકમાં રહેતા હતા. એક દિવસ યમુનાએ તેના ભાઈ યમરાજને ગોલોકમાં ભોજન માટે આમંત્રણ આપ્યું, તો બહેનના ઘરે જતા પહેલા યમરાજે નરકવાસીઓને મુક્ત કરી દીધા હતા.

બીજી કથા અનુસાર ભગવાન કૃષ્ણએ રાક્ષસ નરકાસુરને હરાવ્યા પછી તેમની બહેન સુભદ્રાને મળવા માટે ગયા હતા. ત્યારથી આ દિવસને ભાઈબીજ તરીકે ઊજવવામાં આવે છે. માનવામાં આવે છે કે, સુભદ્રાની જેમ ભાઈના માથા પર તિલક લગાવીને સત્કાર કરવાથી ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ ગાઢ થાય છે. આ દિવસે ભાઈ અને બહેને યમુનામાં સ્નાન કરવાની માન્યતા છે. આ દિવસે શ્રદ્ધાપૂર્વક પાપોની માફી માંગવામાં આવે તો યમરાજ ક્ષમા કરી દે છે.

Share Article

Other Articles

Previous

Google Pay Offer :વપરાશકર્તાઓને 1001 રૂપિયા સુધીનું કૅશબૅક મળશે, બસ કરવું પડશે આ કામ

Next

happy birthday SRK : બૉલીવુડના બાદશાહ એવા શાહરુખ ખાનનું અસલી નામ શું છે ?? અનુપમ ખેરના શોમાં કર્યો હતો ખુલાસો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે પત્ની મેહા સાથે નડિયાદના નવા ઘરમાં કર્યો ગૃહપ્રવેશ,આલીશાન બંગલાની જુઓ તસવીરો
6 કલાક પહેલા
Movies release: ‘દે દે પ્યાર દે 2’ થી લઈને ‘કાંથા’ સુધી, આ ધમાકેદાર ફિલ્મો 14 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
7 કલાક પહેલા
‘તમારા પણ મા-બાપ હશે, શરમ નથી આવતી?’ ધર્મેન્દ્રના ઘરના બહાર ભીડ એકઠી થતાં મીડિયા પર ભડક્યો સની દેઓલ
7 કલાક પહેલા
રાજકોટ : પ્રેમ રોગમાં યુવકે પ્રેમિકાને છરી ઝીંકી પોતાના પેટમાં ઘા મારી કર્યો આપઘાતનો પ્રયાસ,બંનેની હાલત ગંભીર
7 કલાક પહેલા
Categories

નેશનલ

2646 Posts

Related Posts

પાગલ પ્રેમી !! પ્રેમિકાએ સંબંધ તોડી નાખતાં રોષે ભરાયેલા પ્રેમીએ બોગસ એકાઉન્ટ બનાવી ગાળો ભાંડી
ક્રાઇમ
6 મહિના પહેલા
યુપીમાં અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આખી રાત ઝીરો વૉટનું બલ્બ બાળો તો તમે એમ માનો છો કે બિલ ઓછું આવશે ?
ટ્રેન્ડિંગ
10 મહિના પહેલા
અમેરિકામાં વિન્ટર સ્ટોર્મ : ૬ કરોડ લોકો ઉપર જોખમ
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર