ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ ‘The Sabarmati Report’નું ટીઝર રિલીઝ, વિક્રાંત મેસી બહાર લાવશે સત્ય, જુઓ વીડિયો
‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રથમ રિલીઝ ડેટ લંબાવવામાં આવી અને હવે તેનું ધમાકેદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. પ્રથમ પોસ્ટર દ્વારા, નિર્માતાઓએ દર્શકોમાં ઉત્સુકતા જગાવી હતી. અને હવે વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા અભિનીત આ ફિલ્મની પ્રથમ ઝલક જોયા પછી, ફિલ્મને લઈને ઉત્તેજના વધુ વધી ગઈ છે. 15 નવેમ્બરે સિનેમાઘરોમાં આવી રહેલી આ ફિલ્મ બાલાજી ટેલિફિલ્મ્સના બેનર હેઠળ બની છે.
‘ધ સાબરમતી રિપોર્ટ’ 2002ની દુર્ઘટના દર્શાવે છે જેણે સમગ્ર દેશને અંદરથી હચમચાવી દીધો હતો. આ ટીઝર દેશની દિશા બદલી નાખનાર ઘટનાના ઊંડા સત્યને દર્શાવે છે. 27 ફેબ્રુઆરી 2002ની સવારે ગોધરા રેલ્વે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસમાં જે બન્યું હતું તેનું સત્ય આ ફિલ્મ હિંમતભેર ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે.
‘ધ સાબરમતી રિપોર્ટ’ની રિલીઝ તારીખ
આ ફિલ્મ ધીરજ સરના દ્વારા નિર્દેશિત છે અને ઝી સ્ટુડિયો દ્વારા વિશ્વભરમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ 15 નવેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે. ફિલ્મમાં વિક્રાંત મેસી, રાશિ અને રિદ્ધિ એવા પત્રકારોની ભૂમિકા ભજવે છે જેઓ ગોધરા ઘટના વિશે સમાચાર આપે છે. અને તેના કારણે તેમની સાથે શું થાય છે, તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ બતાવવામાં આવ્યું છે.
‘ધ સાબરમતી રિપોર્ટ’ની રીલીઝ ડેટ બે વખત મુલતવી રાખવામાં આવી
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ બે વખત મોકૂફ રાખવામાં આવી હતી. શરૂઆતમાં તે મેમાં અને પછી ઓગસ્ટમાં રિલીઝ થવાની હતી. તેના કેટલાક ટીઝર અગાઉ પણ રિલીઝ થયા હતા. પરંતુ હવે ફાઈનલ રિલીઝ ડેટ 15 નવેમ્બર છે, જે 22 વર્ષ જૂની સ્ટોરીને દુનિયા સમક્ષ ઉજાગર કરશે.
ગોધરાકાંડ જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો
27 ફેબ્રુઆરી 2002ના રોજ ટ્રેન ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા સ્ટેશન પર પહોંચી. ટ્રેન રવાના થવાની હતી ત્યારે કોઈકે ચેન ખેંચીને ટ્રેનને રોકી અને ત્યારબાદ પથ્થરમારો કરીને ટ્રેનના એક ડબ્બાને આગ ચાંપી દીધી હતી. એસ-6 કોચમાં આગ લાગતા 59 લોકો જીવતા હોમાયા હતા. ગોધરાની ઘટનામાં 1500 લોકો સામે FIR નોંધવામાં આવી હતી.