રિસોર્ટ-ફાર્મહાઉસની મજા હવે ફ્લેટમાં
બદ્રી, કેદાર, ગંગોત્રી અને યમુનોત્રી રાજકોટમાં ઘરઆંગણે
બબ્બે સ્વિમિંગ પુલ, થિયેટર સાથે ૩૦થી વધુ એમિનિટીઝનો ખજાનો: વિરલભાઇ ઠોળીયા
ચાર દીવાલોથી મકાન બને છે પરંતુ સવારથી સાંજ સુધી ભાગદોડ ભરી જિદગીમાં થાકી ને આવતા જ જ્યાં સ્વર્ગની અનુભૂતિ થાય એને ઘર કહી શકાય, વિકાસની હરળફાળ ભરી રહેલા રાજકોટમાં દહાડે દિવસે વધી રહેલી મોંઘવારી વચ્ચે ઘરનું ઘર સ્વપ્ન બની રહ્યું છે ત્યારે સનાતન બિલ્ડર્સ ગ્રુપ રાજકોટમાં તમામ વર્ગને પોસાય તેવા ભાવમાં અને એ પણ શહેરના અતિ કિંમતી કહી શકાય તેવા લોકેશન ઉપર અકલ્પનિય ભાવમાં ટુ અને થ્રી બેડરૂમ હોલ કિચનના સ્પેશિયસ ફ્લેટ્સ અને શોરૂમ ઓફર કરી રહ્યા છે, મજાની વાત તો એ છે કે, સનાતન શબ્દની પરિભાષા મુજબ જ અહીં બદ્રી, કેદાર, ગંગોત્રી અને યમુનોત્રી નામના એપાર્ટમેન્ટમાં ફ્લેટ ખરીદનારાઓ માટે બબ્બે સ્વિમિંગ પુલ અને થિયેટર સાથે એમિનિટીઝનો મોટો ખજાનો ખુલ્લો મુકવાની સાથે સનાતન બિલ્ડર્સ ગ્રુપે રાજકોટમાં પ્રથમ વખત જ એમિનિટીઝ વિસ્તારને નો-વ્હીકલ ઝોન જાહેર કરવાની સાથે ફ્લેટ ખરીદનારાઓ માટે વિશાળ કદની ડ્રાઇવ ઈન સિનેમા સ્ક્રીનની સુવિધા પણ ઉપલબ્ધ બનાવી છે.
રિયલ એસ્ટેટક્ષેત્રે રાજકોટમાં તેજીના માહોલ વચ્ચે જામનગર રોડ, મોરબી રોડ, ગોંડલ રોડ, યુનિવર્સીટી રોડ, રૈયા રોડ ઉપર અનેકાનેક પ્રોજેક્ટ સાકાર થઇ રહ્યા છે. ખાસ કરીને રાજકોટના હાર્દસમાન અને અત્યંત કોસ્ટલી ગણાતા કાલાવડ રોડ ઉપર નવા ૧૫૦ ફૂટ રિગરોડ ઉપર પણ સેંકડો પ્રોજેક્ટ હાલમાં પ્રગતિમાં છે પરંતુ આ તમામ પ્રોજેક્ટમાં સનાતન બિલ્ડર્સનો પ્રોજેક્ટ જરા હટકે છે, કટારીયા ચોકડી પાસે ૧૫૦ ફૂટ રિગરોડ, ૮૦ ફૂટ રોડ અને ૪૦ ફૂટના ત્રણ રોડની કનેક્ટિવિટી ધરાવતા સનાતન બિલ્ડર્સ ગ્રુપના રહેણાંક અને કોમર્શિયલ કોમ્બો પ્રોજેક્ટમાં ૨૦,૦૦૦ ચોરસ વાર વિશાળ જગ્યામાં ૨-ઇઇંઊં અને ૩-ઇઇંઊંના ૬૦૦ ફ્લેટ્સ અને ૨૨૫ શોરુમનો સમાવેશ થાય છે, ૧૪ માળ અને ૧૨ વીંગમાં સમાયેલ આ પ્રોજેક્ટની મધ્યમાં એમીનીટિના ખજાના સાથે એક આઇકોનિક બિલ્ડીંગ હોવાનો શ્રેય પ્રાપ્ત થયેલો છે.
સનાતન બિલ્ડર્સ ગ્રુપના વિરલભાઈ અરવિંદભાઈ ઠોળીયા પોતાના અદ્વિતિય અને બેનમૂન પ્રોજેક્ટ અંગે વિગતો આપતા જણાવે છે કે, રાજકોટમાં હાલમાં અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જેમાં તેમનો પ્રોજેક્ટ સનાતન નામને સંપૂર્ણપણે વરેલો હોવાનું જણાવતા ઉમેરે છે કે, ૨૦ હજાર સ્કવેર યાર્ડમાં પથરાયેલ તેમના પ્રોજેક્ટમાં ચાર મુખ્ય બિલ્ડિગના નામ ચારધામની પવિત્રયાત્રા સાથે જોડાયેલા છે. જેમાં ૨-ઇઇંઊંના બે બિલ્ડીંગ બદ્રી અને કેદારનાથ નામ ધરાવે છે જયારે ૩-ઇઇંઊંના બન્ને બિલ્ડિંગના નામ ગંગોત્રી અને યમુનોત્રી નામકરણ કરવામાં આવ્યું છે, સનાતન બિલ્ડર્સના આ બેનૂમન પ્રોજેક્ટમાં તમામ ફ્લેટ્સ સ્પેશિયસ છે જેમાં ૨-ઇઇંઊં ફ્લેટ્સ ૭૫૦ સ્કવેર ફૂટ અને ૩-ઇઇંઊં ફ્લેટ્સ ૧૦૦૦થી ૧૦૫૦ સ્કવેર ફૂટનું વિશાળ ક્ષેત્રફળ ધરાવે છે. સાથે જ ૨-ઇઇંઊં ફ્લેટ્સમાં પણ ફોર-વ્હીલર માટે એલોટેડ પાર્કિગ અપાયા છે જે રાજકોટના અન્ય પ્રોજેક્ટ્સમાં અપાતા નથી.
વધુમાં વિરલભાઈ ઠોળીયા ઉમેરે છે કે, શહેરના ઘોંઘાટિયા જીવનમાં દરેક લોકોને ફાર્મહાઉસ કે રિસોર્ટ જેવા માહોલમાં શાંતિપૂર્વક જીવન જીવવું પસંદ છે ત્યારે અમારા સનાતન પ્રોજેક્ટમાં ફ્લેટ્સ ખરીદનારા ગ્રાહકોની પસંદગીને ધ્યાને લઈ શહેરની નજીક છતાં પ્રકૃતિના ખોળે રહી શકાય તેવું ત્રણ-ત્રણ રોડની કેનેક્ટિવિટી ધરાવતું લોકેશન જ લોકોને આકર્ષી રહ્યું છે, સાથે જ સનાતન બિલ્ડર્સ ગ્રુપ દ્વારા ઉચ્ચ ક્વોલિટીના સ્ટીલ અને સિમેન્ટ સાથે મજબૂત બાંધકામ અને ગુણવતાયુક્ત બ્રાન્ડેડ મટિરિયલનો ઉપયોગ કરી ક્વોલિટી સ્ટ્રક્ચર વાળો પ્રોજેક્ટ તૈયાર કરવાંમાં આવી રહ્યો છે અને હાલમાં પ્રોજેક્ટમાં સતત કામગીરી વચ્ચે આગામી દોઢેક વર્ષમાં ગ્રાહકોને પઝેશન આપવામાં આવનાર હોવાનું તેમને ઉમેર્યું હતું.
નોંધનીય છે કે, રાજકોટના આઇકોનિક પ્રોજેક્ટ તરીકે ઉભરી રહેલા સનાતન પ્રોજકેટમાં ચારેય દિશામાં ફ્લેટ્સ નિર્માણ કરવામાં આવ્યા છે જેથી પૂરતા ખુલ્લા હવા ઉજાસની સાથે પ્રોજેક્ટની મધ્યમાં વિશાળ એરિયામાં અલગ-અલગ ૩૦ પ્રકારની એમિનિટીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં બોક્સ ક્રિકેટ, ટેનિસ કોર્ટ, જોગિંગ ટે્રક, સાયકલ ટે્રક, યોગા સ્પેસ, બબ્બે સ્વિમિંગ પુલ, ૧૦૦ વ્યક્તિની કેપેસિટી ધરાવતું થિયેટર અને એક એમ્ફી થિયેટર, બેન્કવેટ હોલ અને સાથે સનાતન પરંપરાનું ભવ્યાતિભવ્ય દિવ્ય શિવમંદિર પણ નિર્માણ કરવામાં આવશે, મહત્વનું છે કે, રાજકોટના મોટાભાગના બિલ્ડિંગોમાં એક, બે, કે પાંચ- દસ એમિનિટીઝ આપવામાં આવે છે પરંતુ અહીં ૩૦ જેટલી એમિનિટીઝ ઉપરાંત આ એમિનિટીઝ વિસ્તારને સંપૂર્ણપણે નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.સાથે જ સનાતન પ્રોજેક્ટમાં ડ્રાઇવઈન જેવી વિશાળ સ્ક્રીન પણ ઉપલબ્ધ કરાવવામાં આવનાર હોવાનું વિરલભાઈએ જણાવ્યું હતું.
સનાતન પ્રોજેક્ટ વિષે વધુમાં વિરલભાઈ ઉમેરે છે કે, આજે કોન્ક્રીટના જંગલો ઉભા થઇ રહ્યા છે ત્યારે અમારા સનાતન પ્રોજેક્ટમાં કોન્ક્રીટ જંગલને બદલે ગ્રીનરીને પ્રાધાન્ય આપી ૨૦ હજાર સ્કવેર યાર્ડના પ્રોજેક્ટમાં ખુલ્લી રહેતી તમામ જગ્યામાં પ્લાન્ટેશન અને ગાર્ડનિંગ કરવાની સાથે જ આર્ટિફિશિયલ ગ્રાસનો ઉપયોગ કરી બિલ્ડિગમાં ટેમ્પરેચર કંટ્રોલ માટેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે, ઉપરાંત આજના સમયમાં ૨-બીએચકે કે ૩-બીએચકે ફ્લેટ્સમાં પ્રસંગોપાત મહેમાનો આવે ત્યારે મહેમાનો માટે પણ ૧૨ જેટલા સ્યુટ રૂમની સાથે જ બહારથી આવતા મહેમાનોના ડ્રાઇવર માટે પણ ગેસ્ટરૂમની વ્યવસ્થા કરી ફ્લેટ ધારકને રિસોર્ટ અને ફાર્મહાઉસ જેવો અહેસાસ કરાવતો માહોલ આપવામાં આવનાર હોવાનું જણાવી શહેરીજનોને અદભુત અને બેનમૂન સનાતન સંસ્કૃતિને વરેલા પ્રોજેક્ટ્સના સેમ્પલ ફ્લેટ નિહાળવા માટે અચૂક મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું છે.