- ઉંદર પકડવાના ગ્લું બોર્ડના ઉત્પાદન અને વેચાણ પર રાજકોટ પોલીસે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું
વોઇસ ઓફ ડે રાજકોટ
સમગ્ર રાજકોટમાં ઉંદર પકડવાના ગ્લું બોર્ડના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પોલીસ દ્વારા બાહર પાડવામાં આવ્યું છે.જેથી હવે આ પ્રકારના બોર્ડનું ઉત્પાદન કે વેચાણ કરવામાં આવશે તો તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવવાની છે.
પ્રાણી ક્રૂરતા અધિનિયમ, ૧૯૬૦ની કલમ ૧૧ મુજબ કોઈ પણ પ્રાણીને બિનજરૂરી પીડા કે વેદના ન થાય તે અંગે જોગવાઈ થઇ છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં જોગવાઈનું ચુસ્તપણે અમલવારી કરવામાં આવી રહી છે. (ગ્લુટ્રેપ) જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટિકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બિન-ઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે. જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર ગ્લુટ્રેપ વાળી સપાટી પર ચાલે છે અથવા ઊતરે છે. તેઓ ગુંદરની જાળમાં પકડાયા પછી ઉંદર પોતાની રીતે મુક્ત કરવામાં અસમર્થ હોય છે. જેના પરિણામે ઉંદર મૃત્યુ પામે છે.
ઉંદરોનું નિયંત્રણ ઇચ્છનીય છે. પરંતુ તે માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરતી ન હોવી જોઈએ. જેથી ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે અત્યંત ક્રૂર પદ્ધતિ ન અપનાવવા ગ્લુટ્રેપના વેચાણ ઉપર સમગ્ર રાજકોટ જિલ્લામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે.અને જો હવે પછી કોઈ વેચાણ કરતું હશે તો તેમની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.