વડોદરાના વાડી સ્વામિનારાયણ મંદિરના સંત પર યુવતિએ દુષ્કર્મનો આરોપ લગાડ્યો છે. વર્ષ 2016માં દુષકર્મની ઘટના અંગે સાત વર્ષ બાદ યુવતીએ અવાજ ઉઠાવ્યો છે. અને વાડી પોલીસ મથકમાં જઇ પોતાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે વાડી સ્વામિનારાયણ મંદિરના લંપટ કોઠારી સ્વામી સામે દુષ્કર્મ ના મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
વાડી સ્વામિનારાયણ મંદિરના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે આ મામલે પોલીસે દ્વારા મંદિરના પાંચ સંતોના નિવેદન લેવામાં આવ્યા છે. 2019માં જગત પવન દાસની વડતાલ બદલી થઈ હોવાનું નિવેદન સામે આવ્યું છે. સોમવારે આરોપી જગત પાવનદાસના મંદિર સ્થિત રૂમની FSLની ટીમ દ્વારા તપાસ કરાઇ હતી..ત્યારે પીડિતાનું પણ સયાજી હોસ્પીટલમાં મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. હવે સીઆરપીસી 164 મુજબ પીડિતાનું નિવેદન નોંધવામાં આવશે.
શું છે સમગ્ર ઘટના ?
હાલ 23 વર્ષની ફરીયાદી યુવતી જ્યારે 14 વર્ષની હતી તે સમયે તે દુષ્કર્મનો ભોગ બની હોવાની ફરીયાદ છે.. તેણે પોલીસને જણાવ્યું હતું કે, વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામી ( જે.પી.સ્વામી) એ વિદેશથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને તેને વાડી સ્વામિ નારાયણ મંદિરે બોલાવી હતી. બાદમાં મંદિરની નીચે એક રૂમમાં મને લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું.