શું કરશે રિઝર્વ બેન્ક પોલિસીમાં જાહેરાત ? વાંચો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી મીટિંગની ત્રણ દિવસીય બેઠક બુધવારે શરૂ થઈ હતી. એવું માનવામાં આવે છે કે આ વખતે પણ મુખ્ય વ્યાજ દર એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરશે નહીં. હાલની સ્થિતિ જાળવી રાખવામાં આવે તેવી શક્યતા છે. 2023 થી અત્યાર સુધી 7 વાર રેપો રેટ યથાવત રખાયો છે. શુક્રવાર એટલે આજે નવી પીલીસીની જાહેરાત થશે.
ચૂંટણીના પરિણામો પછી બજારની નજર હવે શુક્રવાર એટલે આજે જાહેર થનારી પેનલની બેઠકના પરિણામો પર રહી છે. ઘણા સેક્ટરોને આશા હતી કે આ વખતે આરબીઆઇ રાહત આપશે.
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ શુક્રવારે મોનેટરી પોલિસી કમિટી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની જાહેરાત કરશે. મોંગવારી અંગે પણ રિઝર્વ બેન્ક પોતાનું અનુમાન જાહેર કરશે.
રેપો રેટમાં કોઈ ફેરફાર થશે નહીં
નિષ્ણાતો માને છે કે મધ્યસ્થ બેન્ક વ્યાજ દર (રેપો)માં ઘટાડો કરે તેવી આશા ઓછી છે, કારણ કે ફુગાવાની ચિંતા હજુ પણ યથાવત છે.
સામાન્ય જનતા પર શું થશે અસર?
જો આરબીઆઇ રેપો રેટમાં ઘટાડો કરે તો લોનની ઈએમઆઈ ઘટી શકે છે, જેનો સીધો ફાયદો સામાન્ય લોકોને થશે. જો કે તેની શક્યતા ઓછી હોવાનું માનવામાં આવે છે. હજુ પણ આરબીઆઇ તેલ અને તેલની ધાર જોવા માંગે છે.
રેપો રેટમાં છેલ્લો ફેરફાર ક્યારે થયો હતો?
રેપો રેટ ફેબ્રુઆરી 2023 થી 6.5 ટકાના ઉચ્ચ સ્તરે યથાવત છે. અર્થતંત્રમાં તેજી વચ્ચે, એવું માનવામાં આવે છે કે એમપીસી વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું ટાળશે.
સેન્ટ્રલ બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો અને ત્યારથી તેણે સતત સાત વખત તેને યથાવત રાખ્યો છે.