Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

અયોધ્યામાં ભાજપના પરાજયથી સમર્થકો ઉકાળી ઉઠ્યા

Fri, June 7 2024

અને.. હવે અયોધ્યાવાસીઓ પણ રામદ્રોહી!
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભક્તોના આક્રોશ ની તેજાબી વર્ષા: કહ્યું,’ ત્રેતા યુગમાં પણ અયોધ્યાવાસીઓ દગાખોર હતા’

” મોદી 400 બેઠક શું કામ માંગી રહ્યા છે?, મોદીને 400 બેઠકો જોઈએ જેથી કોંગ્રેસ રામ મંદિર ઉપર બાબરી તાળું ન લગાવી દે” ( વડાપ્રધાન મોદી).

“આ લોકો ઈદ ઉજવવા દોડી દોડીને જાય છે પણ રામ મંદિરમાં આમંત્રણ હોવા છતાં નહોતા ગયા. આવા રામદ્રોહીઓને તમે મત આપશો?”

“જે લોકો રામના અસ્તિત્વને નકારતા હતા અને જે લોકોને રામસેતુ તોડવો હતો તેમને મત આપશો?”

“કાર સેવકો ઉપર ગોળીઓ કોણે ચલાવી હતી એ યાદ છે ને? અયોધ્યાની પવિત્ર ભૂમિને રામભક્તોના રક્તથી રંગનાર કોણ હતા એ યાદ છે ને?”

“જો રામ કો લાયે હૈ ઉનકો લાના હૈ”

ભારતીય જનતા પક્ષના પ્રચારમાં રામમંદિર નો મુદ્દો કેન્દ્ર સ્થાને હતો. દરેક બેઠકો પર સ્થાનિક નેતાઓથી માંડી અને વડાપ્રધાન સુધીના નેતાઓએ ઉપરોક્ત ભાષણો કર્યા હતા અને રામદ્રોહીઓને પાઠ ભણાવી રામભક્તોને સત્તા આપવા માટે અનુરોધ કર્યો હતો. પણ લોકોએ ભાજપની રામના નામે ધર્મના નામે મત માગવાની રણનીતિને જાકારો આપ્યો.


2024 ની લોકસભાની ચૂંટણીના પરિણામો ભાજપ માટે આઘાતજનક છે. ધર્મના આધારે ધ્રુવીકરણ કરવાનું ભાજપનું બ્રહ્માસ્ત્ર બુઠું સાબિત થયું છે. સૌથી વધુ આઘાત તો ઉત્તર પ્રદેશના પરિણામોએ આપ્યો છે. ત્યાં સુધી કે રામ મંદિર જ્યાં નિર્માણ પામ્યું એ અયોધ્યા ની બેઠક પણ ભારતીય જનતા પક્ષે ગુમાવી દીધી. લોકશાહીમાં જનતા જનાર્દનનો ચુકાદો આમ તો શિરોમાન્ય ગણાવો જોઈએ પણ અયોધ્યાનો પરાજય ભાજપના સમર્થકોને હજમ નથી થયો. ભાજપના સમર્થકો હવે અયોધ્યાવાસીઓને દગાખોર, વિશ્વાસઘાતી, હિન્દુ દ્રોહી અને રામદ્રોહી ગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ એ હેતુના હજારો સંદેશાઓથી ઉભરાઈ રહ્યા છે.જે રામને લઈ આવ્યા તેને પ્રજા જાકારો કઈ રીતે આપી શકે? તેવા આક્રોશ સાથે વાયરલ થયેલા હજારો સંદેશાઓમાંથી અહી લખી શકાય તેવા X ( ટ્વીટર) પર ના કેટલાક સંદેશાઓની ઝલક પ્રસ્તુત છે.


રામલલાની પવિત્ર ભૂમિની રજ પણ પવિત્ર ગણાવી જોઈએ પણ ભાજપના પરાજય બાદ એ ભૂમિ પર જનમ લેનાર લોકો પણ અણમાનીતા થઈ ગયા છે.


એક નેટીઝને ટીકા કરી,” આપણે એ ભૂલી ગયા કે આ એ જ અયોધ્યાવાસીઓ છે જેમણે વનવાસમાંથી આવ્યા બાદ સીતા માતા ઉપર પણ સંદેહ કર્યો હતો”


સમર્થકો ભાજપના પરાજયને શ્રીરામ સાથેનો વિશ્વાસઘાત ગણાવી રહ્યા છે. સુશાંત ચાવલા નામની વ્યક્તિએ હિંદુઓને પ્રશ્ન કર્યો કે,” તમને અહેસાસ પણ છે કે તમે શ્રી રામને દગો આપ્યો છે? કેટલાક વધુ ટ્વીટ પર નજર નાખીએ.

ડૂબી મરો..ડૂબી મરો

*કે એન નેહરા નામના સમર્થકે લખ્યું,” હું અયોધ્યા જઈશ તો રામલલાના દર્શન તો કરીશ પણ અયોધ્યાના એક પણ દુકાનદાર કે વ્યક્તિ પાસેથી એક રૂપિયાની પણ વસ્તુ નહીં ખરીદું, પછી એ પ્રસાદ પણ ભલે હોય. આ મારો સંકલ્પ છે. સરયુમાં ડૂબી મરો રામ દ્રોહીઓ”

  • રામ અરોરા નામના ભક્તે અયોધ્યા વાસીઓના હિન્દુ હોવા ઉપર શક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું,” અયોધ્યા વાસીઓ ડૂબી મરો તમે હિન્દુ કહેવાની લાયક નથી.” તેમણે અયોધ્યાના લોકોને દિવાળી ન ઉજવવાની પણ સલાહ આપી.

હે રામ ! અયોધ્યા વાસીઓ પહેલેથી દગાખોર?

  • હિંદુ સુરેન્દ્ર સિંઘ નામના નેટીઝને ઇતિહાસ યાદ કરાવ્યો. તેમણે વ્યથા ઠાલવી,” આજે ફરી માતા સિતાને ભરોસો થઈ ગયો કે યુગ કોઈપણ હોય અયોધ્યાની પ્રજા ક્યારેય સુધરશે નહીં. ક્ષમા કરો પ્રભુ”
  • રઘુરાજ નામની વ્યક્તિએ પણ અયોધ્યાવાસીઓને દગાખોર ગણાવ્યા. તેમણે લખ્યું,” ઇતિહાસ સાક્ષી છે કે અયોધ્યા વાસીઓએ હંમેશા પોતાના સાચા રાજા સાથે વિશ્વાસઘાત કર્યો છે.”

શું કહ્યું વિજેતા ઉમેદવારે?

ફૈઝાબાદની જનરલ બેઠક ઉપર સમાજવાદી પાર્ટીએ દલિત સમુદાયના અવધેશ પ્રસાદ ની ટિકિટ આપી હતી. તેમનો ભાજપના ઉમેદવાર સામે 54,567 મતની સરસાઈથી વિજય થયો. બાદમાં તેમણે કહ્યું કે મોદી રામને લઈ આવ્યા એવો દાવો પ્રજાએ નકારી દીધો છે. કોઈ વ્યક્તિ ભગવાનને કેવી રીતે લાવી શકે? તેમણે ઉમેર્યું કે આ લોકો રામને લાવનારા નહીં પણ તેના નામ પર વ્યાપાર કરનારા છે. આ મારો વિજય નથી. અયોધ્યાની જનતા ચૂંટણી જીતી છે.

અને છેલ્લે..આ પણ એક પ્રતિભાવ

“જેન્યુઇન ક્વેશ્ચન” એવા મથાળા સાથે શંકર દત્ત નામના નાગરિકે પ્રશ્ન કર્યો,” રામ મંદિર રામજી માટે બનાવ્યું હતું કે ચૂંટણી જીતવા માટે..?”

Tags:

aayodhiya

Share Article

Other Articles

Previous

અમદાવાદ એરપોર્ટને અપગ્રેડ કરાયુ : શ્રેષ્ઠ ગ્રાહક સેવા બદલ સન્માન

Next

TRP અગ્નિકાંડનો લબકારો’ ભાજપ કોર્પોરેટર સુધી પહોંચ્યો!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધ્વનિ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી : સરકારની નિષ્ફળતા સામે HC નારાજ, શેરી ગરબા પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
8 કલાક પહેલા
કેમિકલ ફેકટરીમાં CI સેલની ટીમે કર્યો લાખેણો કડદો? મુખ્યમંત્રી, ગૃહમંત્રીને ફરિયાદ કરવાનો તખ્તો ઘડાતો હોવાની ઉદ્યોગકારોમાં ચર્ચા
8 કલાક પહેલા
મોટી ટાંકી નજીક ખુલ્લેઆમ દારૂનું કટીંગ, બધા જાણે છે, માત્ર રાજકોટ પોલીસને ખબર નથી! જાણો શું છે સમગ્ર મામલો
8 કલાક પહેલા
આ દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર ‘વિયેતનામ’માં: 50%થી વધુ વિદેશ પ્રવાસનાં બુકીંગ : ઇન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિકનાં પેકેજ મોંઘા
9 કલાક પહેલા
Categories

નેશનલ

2501 Posts

Related Posts

રામનાથપરા પોલીસ લાઇનમાં બે પોલીસ પરિવાર વચ્ચે ધિંગાણું ખેલાયું
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રાજકોટ : પોલીસના ત્રાસથી યુવકે કરેલા આપઘાત કેસમાં PSIના જામીન અરજી રદ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
વડોદરા બોટ દુર્ઘટના : મુખ્ય આરોપી ઝડપાયો…જુઓ કોણ છે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાંચી ટેસ્ટમાંથી બહાર થઈ શકે બુમરાહ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર