‘મિર્ઝાપૂર-3’ની રિલીઝ ડેટને લઈને આવી મોટી અપડેટ
ઓકટોબર-નવેમ્બરમાં તહેવારો પર થઈ શેક છે પ્રીમિયર
એમેઝોન પ્રાઇમ વિડિયોની સૌથી વધારે ચર્ચામાં રહેલી વેબ સિરીઝમાંથી એક ‘મિર્ઝાપૂર’ની ત્રીજી સિઝન સાથે જોડાયેલી જાણકારી સામે આવી છે. આ સિરીઝની રિલીઝ ડેટ જાણવા માટે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે આજે અમે તમને આ સિરીઝ ક્યારે રિલીઝ થશે? તે અંગે જણાવીશું.
મિર્ઝાપૂર વેબ સિરીઝ દર્શકોની ખૂબ જ ફેવરિટ વેબ સિરીઝમાંથી એક છે. જ્યારથી તેનો ત્રીજો ભાગ આવવાની વાત સામે આવી છે ત્યારેથી જ દર્શકો એ જાણવા ઉત્સુક છે કે ત્રીજો ભાગ ક્યારે રિલીઝ થશે? કેટલાક એમ કહી રહ્યા હતા કે આઈપીએલ બાદ રિલીઝ થશે, તો કેટલાક એમ કહેતા હતા કે, મે મહિનાના અંતમાં આ સિરીઝ રિલીઝ થશે.
એક રિપોર્ટ પ્રમાણે એક સૂત્રએ એવું કહ્યું છે કે, મિર્ઝાપૂર-3ની રિલીઝ ડેટની જાહેરાત ત્યારે કરવામાં આવશે જ્યારે આ સિરિઝનો પ્રચાર-પ્રસાર મોટાપાયે થશે. સૂત્રને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે, શું ઓકટોબર-નવેમ્બરમાં તહેવારો દરમિયાન મિર્ઝાપૂર-3નું પ્રીમિયર થશે? તો સૂત્રએ કહ્યું હતું કે, તમારું અનુમાન મારા અનુમાન જેટલું જ સાચું છે. આમ સૂત્ર મુજબ એમ કહી શકાય કે મિર્ઝાપૂર-3ને રિલીઝ થવામાં હજુ 5 થી 6 મહિના લાગી શકે છે.