૨૨ મેથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન દાદર સ્ટેશન સુધી જ જશે
અત્યાર સુધી મુંબઈ સેન્ટ્રલ સુધી જતી’તી: પોરબંદર યાર્ડમાં પીટ લાઈન બ્લોકની કામગીરી પૂર્ણ થઈ રહી હોય લેવાયેલો નિર્ણય
પોરબંદર યાર્ડ ખાતે પીટ લાઈન બ્લોકનું કામ પૂરું થવા પર હોય તેને ધ્યાનમાં રાખી રાજકોટ સ્ટેશન પરથી પસાર થનારી પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર (ટે્રન નં.૧૯૦૧૬) અને મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર (૧૯૦૧૫) સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હવે મુંબઈ સેન્ટ્રલની જગ્યાએ દાદર સ્ટેશન સુધી જ જશે. આગામી આદેશ ન આવે ત્યાં સુધી આ નિર્ણય અમલમાં રહેશે.
ટ્રેન નં.૧૯૦૧૬ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ૧૯.૨૦ વાગ્યે દાદર પહોંચશે. આ નિર્ણય ૨૦મેથી લાગુ પડશે. જ્યારે ટે્રન નં.૧૯૦૧૫ દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રાત્રે ૯:૩૦ વાગ્યે દાદરથી પ્રસ્થાન કરશે.