કેજરીવાલ કેટલા દિવસ માટે થયા જેલ હવાલે ? જુઓ
દિલ્હી દારૂ પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઇડીની કસ્ટડી સોમવારે પૂરી થયા બાદ ફરી એકવાર દીલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે એમને 15 એપ્રિલ સુધી જેલ હવાલે કર્યા હતા. આમ તેઓ 15 દિવસ જેલમાં રહેશે
કેજરીવાલ તિહાર જેલ નંબર 2 માં રહેશે અને એમને વધારાની બીજી કોઈ સુવિધા મળશે નહીં. જો કે કેજરીવાલે પત્ની અને મંત્રી આતિષીને મળવા દેવાની મંજૂરી માંગી હતી. આ ઉપરાંત કેટલાક ધાર્મિક પુસ્તકો લઈ જવાની પણ પરવાનગી માંગી હતી. કેજરીવાલ બેરેકમાં એકલા જ રહેશે.
કેજરીવાલ સાથે પત્ની સુનીતા કેજરીવાલ પણ કોર્ટ પહોંચ્યા હતા. અગાઉ તેમની કસ્ટડી 1 એપ્રિલ સુધી આગળ ધપાવવામાં આવી હતી. સોમવારે ઈડીએ તેમની કસ્ટડી વધારવાની માગ કરી નહતી. કોર્ટમાં જતી વખતે કેજરીવાલે પીએમ મોદી સામે નિશાન તાકતાં કહ્યું હતું કે મોદી જે કરી રહ્યા છે તે ઠીક નથી. આ દેશ માટેે સારુંં નથી.
કોર્ટે સુનાવણી દરમિયાન ઈડીની માગને સ્વીકારતાં કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેેેેેવાનો આદેશ આપ્યો હતો. હવે તેમને તિહાર જેલમાં મોકલી દેવાશે.
કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ ઈડીએ કેજરીવાલની ન્યાયિક કસ્ટડીની માગ કરતાં કહ્યું કે અમારી પૂછપરછ પતી ગઈ છે. કેજરીવાલ અમને તપાસમાં સહયોગ નથી કરી રહ્યા. અમારા સવાલોના ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે.