કમલનાથે શૂ નવાજૂની કરી ? વાંચો
ભાજપમાં જવા અંગે શું વાત બહાર આવી ?
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ કોંગ્રેસ છોડી રહ્યા છે અને ભાજપમાં જઈ રહ્યા છે તેવા ત્રણ દિવસથી થઈ રહેલા દેકારા અને અટકળો વચ્ચે આ પ્રકરણમાં એક નવો જ વાળાક આવી ગયો હતો અને કમલનાથનું મન પલટાઈ ગયું હતું . પાર્ટીને જ એક નેતા સજ્જનસિંહે મીડિયાને એમ કહ્યું હતું કે કમલનાથ કે તેમના પુત્ર નકુલનાથ ભાજપમાં જવાના નથી અને કોંગ્રેસમાં જ રહેશે.
સિંહે એવી માહિતી આપી હતી કે નકુલનાથ છીદવાડા બેઠક પરથી ચુંટણી લડશે. કમલનાથે સોમવારે રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રમુખ ખડગે સાથે વાતચીત કરી હતી અને બધુ ગોઠવાઈ ગયું હતું. હવે કમલનાથ કે નકુલનાથ કોઈ ભાજપમાં જશે નહીં.
સજ્જનસિંહને કમલનાથે એમ પણ કહ્યું હતું કે ભાજપમાં જવાનો પ્રશ્ન જ કાલ્પનિક છે. તેના વિષે કોઈ જવાબ આપવો ઉચિત નથી.
સજ્જનસિંહે એવી માહિતી પણ આપી હતી કે કમલનાથ સાથે પોતાની 2 કલાક સુધી બેઠક થઈ હતી. નકુલનાથ લોકસભાની ચુંટણી કોંગ્રેસ વતી લડવાના છે તે વાત પણ થઈ હતી. સજ્જને કહ્યું કે કમલનાથે ઇન્દિરા ગાંધી સાથે કામ કર્યું છે અને તેઓ પરિવારના સભ્ય જેવા છે અને તેઓ ક્યાંય જવાના નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે કમલનાથ આ પ્રકારની અફવા વચ્ચે દીલ્હી પણ ગયા હતા અને એમના ભાજપમાં જવાની અટકળો વધી ગઈ હતી. કોંગ્રેસ હાઇકમાંડે આ વાતની ગંભીર નોંધ લીધી હતી અને બેઠકોનો દોર શરૂ થઈ ગયો હતો.