અયોધ્યામાં જુદા-જુદા રાજ્યોના લોકનૃત્ય જુઓ કેવો છે માહોલ
રામ પથથી લતા મંગેશકર ચોક સુધી ૫૦ સ્ટેજ ઉભા કરાયા: સાંકૃતિક કાર્યક્રમો જોવા લોકોની ભીડ જામી

અયોધ્યામાં આજે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે અયોધ્યામાં જ્યા જુઓ ત્યાં જય શ્રી રામનો નાદ ગુંજી રહ્યો છે. બીજી બાજુ રવિવારે ઉત્તર પ્રદેશના સાંસ્કૃતિ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્ટેજ પર જુદા-જુદા રાજ્યમાંથી આવેલા ડાન્સ ગ્રુપના સભ્યો જુદા-જુદા નૃત્ય કલા કરતા જોવા મળ્યા હતા.

આજે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે અયોધ્યા સહીત દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક સપ્તાહ પહેલેથી જ જુદાં-જુદા કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. રવિવારે પ્રાણ પ્રતિષ્ઠાએ મહોત્વના આગલા દિવસે અયોધ્યામાં ઠેર-ઠેર જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠ્યો હતો. અયોધ્યામાં દરેક જગ્યાએ ભક્તો જય શ્રી રામનો નારો લગાવી રહ્યા હતા.

બીજી તરફ ઉત્તર પ્રદેશ સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા રામ પથ થી લતા મંગેશકર ચોક સુધી સ્ટેજ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં જુદા- જુદા રાજ્યોમાંથી આવેલા ડાન્સ ગ્રુપ દ્વારા લોકનૃત્ય કરતા જોવા મળ્યા હતા. ગ્રુપના સભ્યોને પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને નૃત્ય કરતા જોવા મોટી સઁખ્યામા લોકો ઉમટી પડ્યા હતા. રોડની બંને બાજુ ૫૦ સ્ટેજ ઉભા કરવામાં આવ્યા હતા. ઉપરાંત કેટલીક જગ્યાએ રામલીલાના કાર્યક્રમો પણ યોજાયા હતા.