કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં શું લેવાયા મહત્વના નિર્ણય ? જુઓ
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક યોજનાઓને મંજૂરી અપાઈ હતી અને કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના નિર્ણયો અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે મહિલા સ્વયં સહાયતા સમૂહોને ડ્રોન ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્રીય ક્ષેત્ર યોજનાને મંજૂરી આપી છે. સૌથી મહત્વની મનાતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 5 વર્ષ માટે લંબાવી દેવામાં આવી હતી.
ડ્રોન ઉડાવનારી મહિલાને રૂપિયા 15 હજાર પ્રતિ માસ અને સહીઓઑગઈને 10 હજાર પ્રતિમાસ આપવામાં આવશે. આ યોજના 2026 સુધી ચાલુ રહેશે. જેમાં કૂલ ખર્ચ રૂપિયા 1261 કરોડ થશે. ડ્રોન સખી યોજનાને મંજૂરી મળી છે . મહિલાઓને ડ્રોન ઉડાવવાની તાલીમ આપવાનો નિર્ણય થયો હતો.
તેમણે જણાવ્યું કે ગત પાંચ વર્ષોમાં આશરે 13.50 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગામી પાંચ વર્ષ માટે વધારવાનો નિર્ણય લેવાયો છે. તેનાથી 81 કરોડ લોકોને લાભ મળશે. તેના માટે ભારત સરકાર 11 લાખ 80 હજાર કરોડ રૂ. ખર્ચ કરશે.
કોરોના મહામારી દરમિયાન ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરાઇ હતી. જો કે આ વાતનો સંકેત વડાપ્રધાને 4 નવેમ્બરના રોજ આપી દીધો હતો. વિપક્ષ તેને છૂટણીના લાભ માટેની જાહેરાત તરીકે લેશે પણ વડાપ્રધાને ગરીબોને મફત અનાજ આપવાનું ચાલુ જ રાખવાનો નિર્ણય ઘણા સમય પહેલા લીધો હતો.
