દુર્ઘટના માટે સીસ્ટમ જવાબદાર : રાહુલ ગાંધી
કોચિંગ સેન્ટરમાં થયેલા અકસ્માત બાદ વિપક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધી, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આ બેદરકારી પર સવાલ ઉઠાવ્યા છે. જ્યારે રાહુલે આ દુર્ઘટના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સિસ્ટમને જવાબદાર ગણાવી હતી, તો પ્રિયંકા ગાંધીએ તેને ગુનાહિત અને બેજવાબદાર ગણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “દિલ્હીમાં એક બિલ્ડિંગના ભોંયરામાં પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓનું મૃત્યુ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. થોડા દિવસો પહેલા વરસાદ દરમિયાન વીજ શોક લાગવાથી એક વિદ્યાર્થીનું મોત થયું હતું. હું તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું.”
એમને આગળ લખ્યું કે “ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આ કોમ્પ્લેકસ સિસ્ટમની નિષ્ફળતા છે. સામાન્ય નાગરિકો અસુરક્ષિત બાંધકામ, નબળા ટાઉન પ્લાનિંગની કિંમત પોતાના જીવ ગુમાવીને ચૂકવી રહ્યા છે. સુરક્ષિત અને આરામદાયક જીવન એ દરેક નાગરિકનો અધિકાર છે અને આ સરકારની જવાબદારી છે.”
પ્રિયંકા ગાંધીએ કહ્યું ગુનાહિત બેદરકારી
કોચિંગ સેન્ટરની દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા પ્રિયંકા ગાંધીએ લખ્યું કે દિલ્હીમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના મોતની ઘટના ઘણી ચોંકાવનારી છે. બેદરકારી અને અવ્યવસ્થા એટલી છે કે જે બાળકો પોતાના સપના પૂરા કરવા માટે દૂર દૂરથી અહીં આવે છે, તેમની જિંદગી પણ તેમની પાસેથી છીનવાઈ રહી છે. સૌથી અગત્યનું એ છે કે દરેક બાંધકામ, જે ગેરકાયદેસર છે તે જીવલેણ છે અને ત્યાં વિદ્યાર્થીઓ રહે છે, તેમાં સુધારો થવો જોઈએ.