રાજકોટ સહિત ગુજરાતમાં હાર્ટ એટેકથી ત્રણ યુવાનો સહિત ચારના મોત
રાજકોટ અને ઉનાના 32 વર્ષના યુવાન અને મોઢેરાના હોમગાર્ડનો ભોગ લેવાયો
રાજકોટમાં સતત ત્રીજા દિવસે એક યુવાનનું અને વૃધ્ધનું હાર્ટ એટેકથી મોત થયું છે અન્ય બે બનાવમાં ઉનામાં ૩૨ વર્ષીય યુવાનનું અને મોઢેરામાં હોમગાર્ડ જવાનનું હાર્ટએટેકથી મોત થયું છે.
આણંદપર નવાગામમાં ખોડીયાર પાર્ક સોસાયટીમાં રહેતા વિપુલ રતીલાલભાઈ બાવરીયા નામનો ૩૨ વર્ષનો યુવાન રાત્રિના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો તેણે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત થયું હતું. બીજા બનાવમાં રાજકોટમાં આવેલી પારસ સોસાયટીમાં રહેતા ગુણવંતભાઈ વિનોદભાઈ ભટ્ટ નામના ૭૨ વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે હાર્ટ એટેકનો હુમલો મોત થયું હતું. જ્યારે ઉનામાં રહેતાં અને વીડિયો શૂટિંગનું કામ કરતા 32 વર્ષના યુવાન મુંજાવર રમીજબાપુ નજીરમીયાનું હાર્ટએટેકથી મોત નિપજ્યું છે, ત્રીજા બનાવમાં ૪૦ વર્ષિય હોમગાર્ડ પ્રહલાદ રાઠોડ મોઢેરામાં ફરજ ઉપર હતા ત્યારે તેણે હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું.