લિકવિડ બનાવવાનું કામ કરતાં વેપારીના ઘરમાં આગ ભભૂકી
બાજુના મકાન માંથી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવાઈ
નાનામવા પાસે શાસ્ત્રીનગર(અજમેરા)માં રહેતા જયેશભાઇ વ્યાસના મકાનમાં ચાલતા ઘરમાં ગૃહ ઉદ્યોગ દરમિયાન ગેસનો બાટલો સળગ્યો હતો જેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. મકાન માલિક બનાવ વખતે હાજર હોય તેમના જણાવ્યા મુજબ, આગ શોટસર્કીટના લીધે લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. આગને કારણે રૂપિયા ૨૦ હજારનું નુકશાન થયું હતું. આગ મકાનમાં આવેલા નવેરામાં લાગી હતી. જેથી મકાનની પાછળથી બીજા મકાનમાં જઈ ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવ્યો હતો અને આશરે 45 મિનિટની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગમાં સફાઈ કરવાના ક્લીનર લિકવિડના કેરબા, વેસ્ટ પુઠા, ઇલેક્ટ્રિક મશીન સળગી ગયા હતા, જ્યારે ત્યાં પડેલા ગેસના બાટલમાં આગની હિટ લાગી હતી. જયેશભાઈ વ્યાસ, માનસીબેનને પૂછતાં જાણવા મળેલ કે, પરિવાર ઘરે લિકવિડ બનાવવાનું કામ કરે છે. જેથી નવેરામાં લિકવિડના કેરબા પડ્યા હતા. શોર્ટ સર્કિટથી આગ લાગ્યનું તારણ છે.