શ્રાવણ માસ નિમિત્તે એસ્ટ્રોન ચોક, અમીન માર્ગ, યુનિ. રોડ, આકાશવાણી ચોકમાં ૩૮ પેઢીમાં તપાસ
શ્રાવણ માસના પવિત્ર તહેવારો દરમિયાન ફરાળી ખાદ્યચીજ વસ્તુઓનું વેચાણ વધતું હોય છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી ફરાળી ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે મનપા ફૂડ વિભાગ દ્વારા ૪૭ પેઢી પર તપાસક રતાં ચાર સ્થળેથી અખાદ્ય અને વાસી જથ્થો મળી આવતા સીલ કરવામાં આવી છે.
મનપા ફૂડ વિભાગ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્યચીજોમાં વપરાશમાં લેવાતી સ્ટાર્મ, ફરાળી રો-મટિરિયલ્સની ચકાસણી કરવા માટે એક સપ્તાહમાં ૪૭ સ્થળે છાપા મારવામાં આવ્યા હતા.
જેમાં કોઠારિયા રોડ જય રામનાથ ચાઈનીઝ એન્ડ પંજાબીમાંથી વાસી અને અખાદ્ય મંચુરિયન મળી આવતા ૧૩ કિલો જથ્થાનો નાશ કરી ૩૦૦૦નો વહીવટી ચાર્જ વસુલી પેઢીને સીલ કરવામાં આવી હતી.
જ્યારે કવિ નાનાલાલ માર્ગ પર આવેલ હરેકૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ પાર્સલમાંથી અમાન્ય ફૂડ કલર મળી આવ્યો હતો. જ્યારે ૮ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી ૩૦૦૦નો વહીવટી ચાર્જ વસુલી સીલ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ભાવનગરનો લઠ્ઠાકાંડ એ ગુજરાતના ડ્રાય સ્ટેટના દંભનું વરવું પરિણામ છે!
ભગતસિંહજી ગાર્ડન પાસે ઓમ સાંઈ ચાઈનીઝ પાઉંભાજી રેસ્ટોરન્ટમાંથી પ્રતિબંધિત ફૂડ કલર ફ્રીજમાંથી વાસી ગ્રેવી, પાઉંભાજી માટે બાફેલા સલાડનો જથ્થો મળી આવતા ૧૧ કિલો જથ્થાનો નાશ કરી ૫૦૦૦નો વહીવટી ચાર્જ વસુલી સીલ કરવામાં આવી હતી.
જ્યારે ભગતસિંહ ગાર્ડન પાસે એન્જલ ચાઈનીઝ પંજાબીમાંથી પ્રતિબંધિત ફૂડ કલર, વાસી શાકભાજી મળી આવતા ૧૮ કિલો જથ્થાનો નાશ કરી ૫૦૦૦નો વહીવટી ચાર્જ વસુલી રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યું હતું.
આ ઉપરાંત એસ્ટ્રોન ચોક બાલાજી ઘુઘરા, પતિરા બ્રધર્સ, અતુલ બેકરી, પાયલ ડેરી ફાર્મ, અમીન માર્ગ પર પાયલ પંજાબી ફૂડ, શક્તિ ચેવડો-વેફર, ભવાની ગાંઠિયા, બજરંગ ફરસાણ સિયારામ સ્વીટ, રામકૃપા ડેરી ફાર્મ, અંબિકા ફરસાણ, પંચવટી રોડ પર ખાનાખજાના, શ્રી જલારામ પ્રોવિઝન સ્ટોર, બિકાનેર સ્વીટ માર્ટ, સ્વાતિ પાર્કમાં સૂર્યા ઢોસા, સ્વાદની મહેક, સીતારામ રેસ્ટોરન્ટ, રામદેવ રાજસ્થાની રેસ્ટોરન્ટ, ફેમિલી ઢોસા પોઈન્ટ, કોઠારિયા રોડ પર ખોડિયાર રેસ્ટોરન્ટ, દોશી હોસ્પિટલ રોડ બાલાજી રેસ્ટોરન્ટ, ભરાડ કેન્ટિટન, માલવિયાનગર ખોડિયાર ફૂડ ઝોન, આકાશવાણી ચોક જલારામ અલ્પાહાર, ટવીલાઈટ સોડા, હરિકૃષ્ણ દાળ પકવાન, રાકેશ સેલ્સ એજન્સી, જય બાલાજી પાઉંભાજી, શ્રી ગુરૂકૃપા જમણવાર, જય અંબે ગાંઠિયા, શ્રી ગણેશ ખમણ એન્ડ ખીરૂ, મહાદેવ દેશી વઘાર, નાસ્તા ઘર, સોમનાથ પાઉંભાજી, અક્ષર દાળ પકવાન, ભાગ્યોદય ગાંઠિયા રથ, ભારત ડાઇનિંગ હોલ, શ્રી રામવિજય ડેરી ફાર્મમાં તપાસ કરવામાં આવી હતી.
ચાર પેઢીમાંથી લૂઝ પનીર, પેટીસના નમુના લીધા
મનપા ફૂડ વિભાગ દ્વારા પંચવટી મેઈન રોડ પર આવેલ સમુદ્ર ડેરી ફાર્મમાંથી લૂઝ પનીર, એસ્ટ્રોન ચોક કૈલાશ ફરસાણમાંથી લૂઝ ફરાળી પેટીસ, એસ્ટ્રોન ચોક મહેશ વિજય ડેરી ફાર્મમાંથી લૂઝ પનીર અને અમીન માર્ગ પર આવેલ શ્રી હરિ ફરાળમાંથી ફરાળી પેટીસના નમુના લઈ તપાસાર્થે મોકલવામાં આવ્યા છે.
