લાપસીના આંધણ મૂકો…હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે LPG લઇને ‘શિવાલિક’ જહાજ મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યું
યુદ્ધને લઈને ભારતમાં એલપીજીની અછત દેખાઈ રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, LPG ભરેલું પહેલું જહાજ ભારતમાં આવી પહોંચ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે 44,000 ટન એલપીજી લઇને શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે આવી પહોંચ્યું છે.
‘શિવાલિક’ જહાજ 44,000 ટન LPG લઈને મુન્દ્રા બંદરે પહોંચ્યું
દેશભરમાં LPG કટોકટી વચ્ચે, ‘શિવાલિક’ જહાજ 44,000 મેટ્રિક ટન LPG લઈને મુન્દ્રા બંદરે પહોંચ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનું આ જહાજ IOCL માટે LPG કન્સાઈનમેન્ટ લાવ્યું છે. 20,000 મેટ્રિક ટન LPG મુન્દ્રા ખાતે ઉતારવામાં આવશે – આ પ્રક્રિયામાં આશરે 24 કલાક લાગશે. ત્યારબાદ બાકીના 24,000 મેટ્રિક ટન LPG સાથે જહાજ મેંગલોર જવા રવાના થશે.
#WATCH | Gujarat: LPG tanker Shivalik, which crossed the Strait of Hormuz, reaches Mundra Port. pic.twitter.com/tVXvWunqba
— ANI (@ANI) March 16, 2026
મિડલ-ઈસ્ટ તણાવ વચ્ચે LPG જહાજ ‘શિવાલિક’ ભારત પહોંચ્યું
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે LPG કેરિયર શિવાલિક જહાજ કતારથી ગેસ લોડ કરીને ભારત પહોંચ્યો છે. આ જહાજ સોમવારે સાંજે 5 વાગ્યે મુન્દ્રા પોર્ટ, ગુજરાત ખાતે પહોંચી ગયો.
જહાજ પર લગભગ 46,000 મેટ્રિક ટન LPG લોડ હતું, જે આશરે 32.4 લાખ ઘરેલુ ગેસ સિલિન્ડર બરાબર હોવાનું જણાવાયું છે. જહાજ 14 માર્ચે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ રવાના થયું હતું. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત પહોંચેલું આ પ્રથમ LPG જહાજ છે.
શિપિંગ મંત્રાલય મુજબ, બીજું LPG જહાજ ‘નંદા દેવી’, આશરે 46,000 ટન LPG સાથે, કાલે પહોંચવાની શક્યતા છે. ઉપરાંત, ક્રૂડ ઓઈલ લાવતું જહાજ ‘જગ લાડકી’, આશરે 81,000 ટન ક્રૂડ ઓઈલ લઈને મુન્દ્રા તરફ આવી રહ્યું છે અને તે પણ આવતીકાલે પહોંચવાની અપેક્ષા છે.
આ જહાજ ભારતના ઘરેલુ LPG પુરવઠા માટે મહત્વપૂર્ણ છે, અને તણાવ વચ્ચે તે પૂરતા ગેસ સ્ટોકની ખાતરી કરે છે.
જયશંકરે ઈરાનથી 550 ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરવા બદલ આર્મેનિયાનો આભાર માન્યો

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંકટ વચ્ચે ઈરાનથી 550થી વધુ ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવા બદલ વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે આર્મેનિયાનો આભાર માન્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં, જયશંકરે ઈરાન છોડી રહેલા ભારતીયોને સુરક્ષિત માર્ગની સુવિધા આપવામાં આર્મેનિયાની મદદની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે તેઓ આ મુશ્કેલ પરિસ્થિતિઓ દરમિયાન યેરેવન દ્વારા આપવામાં આવેલી સહાયની ખૂબ પ્રશંસા કરે છે અને તેમના આર્મેનિયન સમકક્ષ, અરારત મિર્ઝોયાન દ્વારા પૂરા પાડવામાં આવેલા સહયોગની પણ પ્રશંસા કરે છે.
