સરકારે કહ્યું, ગુમ થયેલા બાળકોને ગમે ત્યાંથી પાછા લાવીએ છીએ, 29 વર્ષથી ગુમ રાજકોટના મોહિલ, અમદાવાદની વિશ્વા-જલધિનું શું? વાંચો શું છે મામલો
રાજ્યમાં ગુમ બાળકો અંગે વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રશ્નના જવાબમાં સરકારે એવા બણગા ફૂંક્યા હતા કે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સરકાર ગુમ બાળકોને ગમે ત્યાંથી પાછા લાવે છે. પરંતુ 29 વર્ષથી ગુમ રાજકોટના મોહિલને કે 14 અને 12 વર્ષથી ગુમ અમદાવાદની વિશ્વા અને જલધિનું શું? તેવો ભાજપ કે કોંગ્રેસના એકપણ ધારાસભ્યને પ્રશ્ન સૂઝ્યો નહોતો.
કોંગી ધારાસભ્ય ચુડાસમાના પ્રશ્નના જવાબમાં મંત્રી હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયાએ પોલીસ કામગીરીની આખી પ્રશંસાવલી રજૂ કરી દઈને જણાવ્યું હતું કે સરકાર વણો પહેલા ગુમ થઈ ગયેલા લા બાળકોને પણ શોધી લાવે છે. આ તકે રાજકોટના ચારેય ધારાસભ્યો દર્શિતા શાહ, રમેશ ટીલાળા, ઉદય કાનગડ અને ભાનુ બાબરિયા ગૃહમાં બેઠા હોવા છતાં પ્રશ્ન નહોતા પૂછી શક્યા કે 1997માં રાજકોટમાંથી મોહિલ મોરઘરા નામના નાન બાળકનું દિનદહાડે અપહરણ થયું હતું. તે કેસ-હજુ પણ વણઉકલ્યો છે. સીબીઆઈએ પણ તપાસ કરીને હાથ ઊંચા કરી દીધા હતા. ત્યારે એ મોહિલ ક્યાં છે? કઈ સ્થિતિમાં છે? અને તેને કોણ ઉપાડી ગયું? તેની તપાસ તો કરાવો પણ આ ચારેય ધારાસભ્યોએ મૌન સેવી-સરકારની વાહવાહી સાંભળી લીધી હતી.
આ પણ વાંચો :રાજકોટના જંગલેશ્વર બાદ લક્ષ્મીનગરનો પટ’સાફ’: રેલવેની જગ્યામાં વર્ષોથી ખડકાયેલા 354 ઝુપડા ઉપર 25થી વધુ બૂલડોઝર ફરી વળ્યા
આવી જ રીતે અમદાવાદમાં 2012માં વિશ્વા પટેલ નામની બાળકી અને 2014માં જલધિનું ત્રિવેદી નામની બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી. જેનો પત્તો આજદિન સુધી નથ લાગ્યો. ત્યારે અમદાવાદના ભાજપના અને કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ આજે ગૃહમ આ મુદ્દે હરફ સુધ્ધાં ઉચાર્યો નહોતી. ધાર તો પેટા પ્રશ્ન પૂછી શક્યા હોત કે અમદાવાદન વિશ્વા અને જલધિને ક્યારે શોધી લાવશો પરંતુ આ તમામ ધારાસભ્યો આજે નૈતિકજવાબદારીનું દાયિત્વ ચૂકી ગયા હતા.
