પાકિસ્તાનનું વિચિત્ર ત્રાગુ: T-20 વર્લ્ડકપમાં ભારત સામે નહીં રમે! ભારતને રમ્યા વગર જ બે પોઈન્ટ મળી જશે
7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં શરૂ થનારા ટી-20 વર્લ્ડકપમાં અગાઉ બાંગ્લાદેશ હટી ગયા બાદ પાકિસ્તાને પણ `નાટક’ શરૂ કર્યા હતા. પાકિસ્તાન દ્વારા આ વર્લ્ડકપનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ડંફાસ વચ્ચે ટીમનું એલાન થઈ ગયા બાદ હવે તેણે વિચિત્ર ત્રાગુ રચતાં એવી જાહેરાત કરી છે કે તે ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે નહીં ! જ્યારે તે પોતાની અન્ય મેચ રમશે. આ પ્રકારના નિર્ણયથી વર્લ્ડકપના કાર્યક્રમ ઉપર કોઈ અસર નહીં પડે પરંતુ ભારતને રમ્યા વગર જ બે પોઈન્ટ મળી જશે તે નિશ્ચિત બની ગયું છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમ ઉપર મુકાબલો થવાનો હતો. જો કે આ મેચ રમવાનો પાકિસ્તાને ઈનકાર કર્યો છે. આ સિવાય તે અન્ય ટીમ વિરુદ્ધ શ્રીલંકામાં જ પોતાની વર્લ્ડકપની મેચ રમશે.
આ પણ વાંચો :જાદુઇ ઝડપઃ ગિરનારની આરોહણ-અવરોહણ સ્પર્ધામાં માત્ર 32 મિનિટમાં 2200 પગથિયાં ચડી-ઉતરીને UPની તામસીએ છઠ્ઠી વખત વિજેતા બની
અત્રે સવાલ એ પણ મહત્ત્વનો છે કે ભારત સામે લીગ મેચ રમવાનો ઈનકાર કર્યો છે પરંતુ જો સેમિફાઈનલ સહિતના મુકાબલામાં ભારત સામે રમવાનું થશે ત્યારે પાકિસ્તાન ટીમ શું કરશે ? આજે સોમવારે પાકિસ્તાન ટીમ શ્રીલંકા રમવા માટે રવાના થશે.
