અમરેલીના બાબરામાં પોણા બે ઈંચ, લીલીયામાં એક ઈંચ
સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર : ગારીયાધારમાં એક ઈંચથી વધુ, અન્યત્ર ઝાપટા
નૈઋત્યનું ચોમાસુ મંદ પડ્યું હોવા છતાં સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર ચાલુ રહેવા પામી હતી રવિવારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સવા નવ ઈંચથી વધુ વરસાદ પડ્યા બાદ સોમવારે અમરેલીના બાબરામાં સાંજે 4થી 6માં બે કલાકમાં જ બે પોણા બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના સત્તાવાર આંકડા મુજબ સોમવારે સવારે 6થી સાંજના છ વાગ્યા સુધીમાં અમરેલીના બાબરામાં 45 મીમી, લીલીયામાં 25 મીમી, ભાવનગરના ગારીયાધારમાં 29 મીમી, છોટાઉદેપુરના કવાંટમાં 25 મીમી, નર્મદાના નાંદોડમાં 20 મીમી, કચ્છના માંડવીમાં 15 મીમી, અમરેલીના લાઠીમાં 15 મીમી, દ્વારકામાં 5 મીમી, ભરૂચના નેત્રંગમાં 5 મીમી, જામનગરના લાલપુરમાં 5 મીમી, શિહોરમાં 5 મીમી ઉપરાંત પાલીતાણા, વલસાડના ધરમપુર, ડાંગના વઘઇ,અમરેલી, પોરબંદર અને ભાણવડમાં ઝાપટા વરસ્યા હતા.