રાજકોટના હજારો અરજદારો હાલાકી ભોગવશે: આ તારીખે RMC, બેન્ક,પોસ્ટ ઓફિસના આધાર કેન્દ્રો રહેશે બંધ
રાજકોટમાં મહાપાલિકાની ત્રણેય ઝોનલ કચેરી ઉપરાંત વોર્ડવાઈઝ આધાર કેન્દ્ર કાર્યરત છે. આ ઉપરાંત વિવિધ બેન્કો તેમજ પોસ્ટ ઓફિસમાં પણ આધાર કાર્ડને લગતી કામગીરી થઈ રહી હોય અહીં ફરજ બજાવતાં સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવનાર હોવાથી શુક્રવારે રાજકોટના તમામ આધાર કેન્દ્રો બંધ રહેશે તેવી જાણકારી મહાપાલિકા દ્વારા આપવામાં આવી હતી.
રાજકોટના નાગરિકોને આ ફેરફારની નોંધ લેવા અને તે મુજબ પોતાના કામનું આયોજન કરવા વિનંતી કરવામાં આવી છે. વધુ માહિતી માટે લોકો નં. 0281-2221640 પર સંપર્ક કરી શકે છે. જોકે મનપાનાં તમામ આધારકાર્ડ કેન્દ્રો શુક્રવારે આખો દિવસ બંધ રહેતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડશે.
આ પણ વાંચો :world cancer day 2026: કેન્સર એટલે અંત નહીં, પરંતુ લડવાની શરૂઆત, સમયસર સ્ક્રીનિંગ અપનાવવાથી બચી શકે છે જિંદગી, જાણો શું છે સ્ક્રીનિંગ
મહાપાલિકાના જણાવ્યા પ્રમાણે તેના હસ્તકના તમામ આધાર કેન્દ્રો ખાતે ફરજ બજાવતાં આધાર ઓપરેટર તેમજ સુપરવાઈઝરોને ‘યુઝર ક્લાઈન્ટ’નામનો સોફ્ટવેર કે જે આધારનું સંચાલન સંભાળતા યુઆઈડીએઆઈ દ્વારા વિકસાવવામાં આવ્યો હોય શુક્રવારે કલેક્ટર કચેરી ખાતે તેની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ તમામ આધાર ઓપરેટર તેમજ સુપરવાઈઝરો માટે જરૂરી હોય એક દિવસ માટે તમામ કેન્દ્રો બંધ રાખવામાં આવશે.
