જન્માષ્ટમીનાં વેકેશનમાં ઈન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિક પેકેજ વધ્યા
ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ માટે એવરેજ સિઝન, નેપાળની ઘટના, યુદ્ધના પરિબળો અને ડોલરમાં વધારાની અસર પ્રવાસ પર
રોડ ટ્રીપનાં લીધે ટેક્સી, અરબનીયા અને કારાવાનની ડિમાન્ડ વધી
આવતીકાલથી સૌરાષ્ટ્રમાં સાતમ આઠમની ઉજવણીનો માહ માહોલ શરૂ થઈ જશે એ પૂર્વે જ રાજકોટવાસીઓ જન્માષ્ટમીનું વેકેશન માણવા નીકળી રહ્યા છે. આ વખતે સાતમ આઠમમાં સળંગ અઠવાડિયાની રજાનો લાભ મળતો હોય આ સપ્તાહથી જ એક સુતાર વીક માટે રજાની મજા માણશે. આ વખતે રોડ ટ્રીપનો ક્રેઝ સૌરાષ્ટ્રનાં લોકોમાં વધુ જોવા મળ્યો છે.ટ્રેઈન ભરચકક તો ફલાઈટ ટિકિટમાં ૨૦ ટકા જેટલો વધારો હોય સહેલાણીઓએ રોડ ટ્રીપ પસંદ કરી છે.
આ સાતમ આઠમમાં યુદ્ધની પરિસ્થિતિ અને મોંઘવારીના કારણે વિદેશ પ્રવાસ ટાળ્યો છે અને આજુબાજુનાં રાજયોમાં વેકેશન કરવાનું નક્કી કરતાં આ વખતે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કેરેલા હોટ ફેવરિટ છે.રાજકોટનાં ટ્રાવેલ સંચાલક દર્શિત
મસરાણીએ જણાવ્યું આ વખતની સિઝન એવરેજ મુખ્યત્વે ડોલર લર મોંઘો મોંઘો થયો થયો તો ધારી ન હોય એવી ઘટનાઓ જેમ કે નેપાળમાં બનેલી ઘટના આ બધા મુખ્ય કારણોને કારણે લોકો પેકેજ બુક કરતાં અચકાય રહ્યા છે.
જ્યારે ટ્રાવેલ સંચાલક નિમિશ કેસરિયાના મત મુજબ સાતમ આઠમના તહેવાર નજીક આવતા ફ્લાઈટના ભાડામાં ૨૫ થી ૩૦ ટકા વધારો થયો છે રાજકોટથી નિયમિત ઉડાન ભરતી ફ્લાઇટમાં ઘટાડો થયો છે ૧૪ ફ્લાઈટ ઉડાન ભરતી હતી જેમાંથી બેંગ્લોર, પુનાની ફલાઈટ ઓછી થઈ છે તો દિલ્હી અને નવી મુંબઈની ફલાઈટ બંધ કરાઈ હતી.જો કે એરઈન્ડિયા દ્વારા તહેવારોમાં આ ફલાઈટ ફરી શરૂ કરશે. નિયમિત રીતે ફ્લાઇટની ટિકિટ ત્રણ થી
ચાર હજારમાં મળતી હોય છે જેમાં હાલમાં ડબલ વધારો થયો છે. ટ્રાવેલ ગ્રૂપનું સંચાલન કરતાં સપના જટાનીયાએ કહ્યું કે,સાતમ આઠમના તહેવારમાં એક વિકની આવતી હોવાથી મોટાભાગનાં લોકો પોતાની કાર કે ટેક્સી કરીને ફરવા નીકળી ગયા છે.જેમાં મહારાષ્ટ્રમાં ઈમેજિકા, લોનાવ ાલા, માથેરાન, મહાબળેશ્વર, નાસિક, શિરડી, જ્યારે રાજસ્થાનમાં રાણકપુર, જેસલમેર, ઉદેપુર, જયપુર આ ઉપરાંત પેકેજમાં કેરેલા, રાજસ્થાન હોટ ફેવરિટ બન્યા છે.આ વખતે વખતે ઈન્ટરનેશનલ ટ્રીપ કરતાં રાજકોટવાસીઓએ ડોમેસ્ટિક ટ્રીપનો આનંદ ઉઠાવશે.જ્યારે સૌરાષ્ટ્ર સાસણ, દ્વારિકા ખાતે પ્રવાસીઓની ભીડ ઉમટશે. રોડ ટ્રીપના કારણે ટેક્સી, ટ્રાવેરા, અરબનીયા અને કારવાનની ડિમાન્ડ વધી છે.એડવાન્સ બુકીંગ સહેલાણીઓએ કરાવી દીધા છે.પરિવાર અને મિત્રો સાથે આનંદ માણવાનો અવસર રાજકોટવાસીઓ ચૂકતા નથી.જ્યારે સોમવારે બોળચોથથી તહેવારો શરૂ થશે પણ ઉત્સવપ્રિય લોકો આ વિકએન્ડથી ફરવા ઉપડી ગયાં છે.
