Pankaj Joshi : ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે IAS પંકજ જોશીની નિમણૂક : જાન્યુઆરીના અંતમાં પદ સંભાળશે
રાજ્યના મુખ્ય સચિવ તરીકે સીનીયર આઈ.એસ.એસ.અધિકારી પંકજ જોશીની નિમણુંક કરવામાં આવી છે. રાજ્યના વર્તમાન મુખ્ય સચિવ રાજકુમાર 31મી જાન્યુઆરીએ નિવૃત્ત થઇ રહ્યા છે અને પંકજ જોશી તેમના સ્થાને મુખ્ય સચિવ બનશે. તેમનો સી.એસ. તરીકેનો કાર્યકાળ ૧૦ મહિનાનો રહેશે.
પંકજ જોશી 1989ની બેચના આઇએએસ અધિકારી છે. તેમણે અગાઉ નાણા, એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ વિભાગમાં પણ સચીવ તરીકે ફરજ બજાવી છે. પંકજ જોશી અધિક ગૃહ સચિવ તરીકે કાર્યરત હતા. ગૃહ સચિવ તરીકે મુકેશ પુરી નિવૃત થયા બાદ તેમના સ્થાને પંકજ જોશીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો. પકજ જોશી હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયના એસીએસ તરીકે પણ કાર્યરત છે. તેમની પાસે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયનો પણ ચાર્જ હતો.અતેઓ રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.

સીએસ રાજકુમારે પહેલી ફેબ્રુઆરી 2023ના રોજ રાજ્યના મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો અને તેમનો સેવાકાળ 31 જાન્યુઆરી 2025ના રોજ પૂરો થઇ રહ્યો છે.
પંકજ જોશી મૂળ ઉત્તરાખંડ રાજ્યના
પંકજ જોશી મૂળ ઉત્તરાખંડ રાજ્યના છે જેઓ એ ભારતીય સનદી સેવા IAS ની 1989 બેચમાં ગુજરાત કેડરમાં જોડાયા હતા. પંકજ જોશી હાલમાં સી.એમ.ઓ.માં કાર્યરત છે. અગાઉ પણ તેઓ સી.એમ.ઓ.માં એ.સી.એસ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એ.સી.એસ રહી ચૂક્યા છે.
પ્રાંત કલેક્ટરથી શરૂ થઈ તેઓ રાજ્યના મુખ્ય સચિવ બની રહ્યા છે. તેઓ સુરત કલેક્ટર અને સુરત કમિશનર તરીકે રહી ચૂક્યા છે.