ગોમતી ઘાટ પર કરંટનો કહેર: બે શ્રદ્ધાળુ પાણીમાં તણાયા
દ્વારકાના પ્રસિદ્ધ ગોમતી ઘાટ પર અચાનક પાણીના ભારે કરંટમાં બે વ્યક્તિઓ તણાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જીવ બચાવવા સંઘર્ષ કરતા બંને આસપાસ હાજર સ્થાનિકોએ સમયસૂચકતા દાખવી કપડાં અને અન્ય સાધનોની મદથી ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર ખેંચી લીધા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગોમતી ઘાટ પર સલામતીને લઈને ચર્ચા જાગી છે. સ્થાનિકોએ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને અપીલ કરી છે કે કરંટ કે જોખમી સ્થિતિમાં પાણીમાં ન ઉતરે અને સુરક્ષા સૂચનાઓનું કડક પાલન કરે.
