ચાલુ વરસે રાજ્યના ૧૯ IAS અધિકારીઓ નિવૃત્ત થશે
મુખ્યમંત્રીનાં પૂર્વ ઓ.એસ.ડી. એન.એન. દવે સહિત ત્રણ અધિકારીઓ માર્ચમાં નિવૃત્ત થયા, : કમલ દયાણી, જે.પી. ગુપ્તા જુલાઈમાં નિવૃત્ત થશે અને સુનયના તોમર, એસ.જે. હૈદર ડિસેમ્બરમાં રીટાયર
ગુજરાતમાં મુખ્ય સચિવ પંકજ જોશી સહિત ૧૯ જેટલા IAS અધિકારીઓ ૨૦૨૫ ના અંત સુધીમાં નિવૃત્ત થવાના છે. આ ઉપરાંત, વિવિધ વિભાગોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળતા વરિષ્ઠ અધિકારીઓ કમલ દયાની અને જે.પી. ગુપ્તા જુલાઈમાં નિવૃત્ત થશે, જ્યારે સુનયના તોમર અને એસ.જે. હૈદર ડિસેમ્બરમાં નિવૃત્ત થશે. નિવૃત્ત થનારાઓની યાદીમાં ૧૫ જેટલા જાણિતા IAS અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
ધ સેક્રેટરીએટના અહેવાલ અનુસાર, માર્ચના અંતમાં, ભારતભરના ૧૮ IAS અધિકારીઓ નિવૃત થયા છે તેમાં ગુજરાતના ત્રણનો પણ સમાવેશ થાય છે, ગુજરાત સિવાય આંધ્રપ્રદેશ, આસામ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના બે-બે, જ્યારે હિમાચલ પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશના એક-એક અધિકારીનો સમાવેશ થાય છે.
ગુજરાતના વહીવટી માળખામાં યુવા IAS અધિકારીઓની એન્ટ્રી થઇ રહી છે પરંતુ અધિકારીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, હાલમાં IAS કેડરમાં ૭૦ થી ઓછા અધિકારીઓ છે. આ અધિકારીઓ નિવૃત થશે એટલે એ જગ્યા પણ ખાલી રહેશે. ૩૧ જાન્યુઆરીએ પદ સંભાળનારા મુખ્ય સચિવ પંકજ જોશી ઓક્ટોબરમાં નિવૃત્ત થઇ રહ્યા છે.
માર્ચના અંત સુધીમાં, આર કે મહેતા, એન એન દવે (CMO ના ભૂતપૂર્વ OSD)અને એસ પી ભગોરા,, નિવૃત્ત થયા છે. તેવી જ રીતે GAD ના અધિક મુખ્ય સચિવ કમલ દયાની અને જુલાઈમાં આદિજાતિ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ જે પી ગુપ્તા પણ નિવૃત્ત થશે.
તેવી જ રીતે, અગાઉના વાઇબ્રન્ટ સમિટમાં મુખ્ય ભૂમિકા ભજવનારા બે વરિષ્ઠ અધિકારીઓ વર્ષના અંતમાં નિવૃત્ત થશે. તેઓ ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર અને ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ એસ જે હૈદર છે. વ
કોણ ક્યારે નિવૃત ?
માર્ચ
આર કે મહેતા
એન એન દવે
એસ પી ભગોરા
મે
આર એસ નિનામા
સી એમ ત્રિવેદી
જૂન
ડી એમ સોલંકી
બી કે વસાવા
સી બી બલાટ
ડી કે બારિયા
જુલાઈ:
કમલ દયાની
જેપી ગુપ્તા
ઓક્ટોબર:
પંકજ જોશી
બી કે પંડ્યા
નવેમ્બર:
એ એમ શર્મા
એ બી પટેલ
ડિસેમ્બર:
સુનયના તોમર
એસ જે હૈદર
વી જે રાજપૂત
ધર્મેન્દ્રસિંહ જાડેજા