કોંગ્રેસના આક્રમક વિરોધના પગલે એરપોર્ટ ઓથોરિટીએ કરવો પડયો ખુલાસો
ભાજપ જુઠ્ઠાણાનો પર્દાફાશ : ભાજપના ધારાસભ્યો-સંસદસભ્યોનો પન્નો ટુંકો પડ્યો
રૂ.1400 કરોડના પ્રજાના ટેક્ષના પૈસા ખર્ચીને ભાજપના મધ્યપ્રદેશના એક મોટા નેતાઓના મળતિયાઓને ઈન્ટરનેશનલ એરપોર્ટનો કોન્ટ્રાક્ટ આપી ખટાવી દેવામા આવ્યા પરંતુ સૌરાષ્ટ્રની જનતાને ઈન્ટરનેશનલ કક્ષાનુ એરપોર્ટ મળ્યુ નહી અને સુવિધાઓ ડોમેસ્ટિક એરપોર્ટ જેટલી પણ નથી તેમ જણાવી કોંગ્રેસના આગેવાનોએ કહ્યું છે કે, વિપક્ષ તરીકે કોંગ્રેસે આ બાબતને ઉજાગર કરી છે અને તેથી એરપોર્ટ ઓથોરિટીએ ખુલાસો કરવો પડ્યો છે.
યુવા અગ્રણી રોહિતસિંહ રાજપૂતે કહ્યું છે કે, કરોડોના ખર્ચ પછી ભ્રષ્ટાચારની સાક્ષી પુરતુ થોડા સમય પહેલાં સામાન્ય વરસાદમા કેનોપીનુ ડોમ ધરાશાયી થયુ હતુ આ ગંભીર બેદરકારી બાબતે પણ હજુ શુધી તંત્ર દ્વાર કોઈ સામે પગલાઓ ભરવામા આવ્યા નથી.ચુંટણીઓમા મત લેવાની લાલચમા વડાપ્રધાનશ્રીના હસ્તે ઉતાવળે લોકાર્પણ કરી ભાજપના નેતાઓ જેને ઉર્જા નુ પાવરહાઉસ કહ્યુ હતુ તે કરોડો રૂપિયા ભ્રષ્ટાચારનુ કેન્દ્રહાઉસ બન્યુ છે.
એરપોર્ટ ઓથોરિટીએ એ જ વાતનો સ્વીકાર કર્યો છે કે ઈન્ટરનેશનલ કક્ષાની સુવિધાઓતો ઠીક ડોમેસ્ટિક ફ્લાઇટની સેવામા પણ અનેક ક્ષતિઓ રહેલી છે ત્યારે રાજકોટનુ જુનુ એરપોર્ટ સમગ્ર સૌરાષ્ટ્ર સાથે બસ ટ્રેન વ્યવહાર સાથે જોડાયેલુ અને જનતાને અનુકુળ હતુ ત્યારે ઈન્ટરનેશનલ એરપોર્ટના નામે અબજોના આંધણ બાદ લોકો ને 36 કીમી દુર ધક્કા ખાવાના ટ્રાફિક ટ્રાન્સપોર્ટ સહીતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે
અમદાવાદ સ્થિત અદાણી એરપોર્ટને કોઇ જાતનુ નુકશાન ના પહોંચે માટે રાજકોટ એરપોર્ટને ઇન્ટરનેશનલ ફ્લાઇટોનું કનેક્શન જાણી જોઈને અપાતુ નથી એ હવે પ્રજાએ સમજવુ પડશે અને ખોબલે ખોબલે મતોથી ચુંટાયેલા ભાજપના ધારાસભ્યો,સંસદસભ્યો પાસે જવાબ માંગવો પડશે અને તેમને કહેવુ પડશે કે પક્ષને અને તેના મળતિયાઓ ને જે લાભો અપાવો છો તે સારી સુવિધાઓના લાભ પ્રજાને કયારે અપાવશો ? તેમ કોંગ્રેસના લીગલસેલના ચેરમેન અશોકસિંહ વાઘેલા,પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત અને પ્રદેશ અગ્રણી સુરેશ બથવારની યાદીમા જણાવ્યુ હતુ.