રાજકોટ : મોરબી રોડ ઉપર દબાણ કરનાર 25 અસામીઓને નોટિસ
- પૂર્વ મામલતદારે નોટિસ ફટકારતા જ નાના ધંધાર્થીઓ કલેકટર કચેરીએ દોડી આવ્યા
રાજકોટ : શહેરના મોરબી રોડ ઉપર સરકારી જમીન ઉપર ચા, પાનની રેંકડી તેમજ અન્ય દબાણો ઉભા કરી ધંધો કરતા અંદાજે 25 જેટલા દબાણકારોને પૂર્વ મામલતદારે દબાણ હટાવવા નોટિસ ફટકારતા જ આ ધંધાર્થીઓ સમય આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજુઆત માટે દોડી આવ્યા હતા પરંતુ જિલ્લા કલેકટર હાજર ન હોય હવે સોમવારે રજુઆત માટે આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મોરબી રોડ ઉપર ઇન્દ્રપ્રસ્થ સોસાયટી નજીક હાઇવે ઉપર રેવન્યુ સર્વે નંબર 53ની સરકારી જમીન ઉપર દબાણો ઉભા કરી લેનાર વિક્રમ સોલંકી, ભઈલાભાઇ રાઠોડ, તેજાભાઈ શિયાળ, ભુપત વકાતર, બેચરભાઈ સાંભડ સહિતના 20થી 25 જેટલા નાના ધંધાર્થીઓને પૂર્વ મામલતદાર દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરવા મામલે નોટિસ ફટકારી 7 દિવસમાં જગ્યા ખાલી કરી દેવા તાકીદ કરતા શનિવારે તમામ ધંધાર્થીઓ કલેકટર સમક્ષ રજુઆત માટે દોડી આવ્યા હતા અને ચોમાસાનો સમય હોય મુદત આપવા માંગ કરતી રજુઆત કરી હતી. જો કે, જિલ્લા કલેકટર હાજર ન હોય ધંધાર્થીઓ દ્વારા ફરી સોમવારે રજુઆત માટે આવનાર હોવાનું જણાવ્યું હતું.