કનુ દેસાઈનાં વિવાદિત નિવેદન બાદ કોળી સમાજમાં રોષ : કહ્યું ભાજપ માફી નહિ માંગે તો….. !!
ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણી માટે ૭મી મેનાં રોજ ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. જો કે ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ પોતાની જીભ પર કાબુ રાખી શકતા અને બેફામ નિવેદન આપી રહ્યાં છે. ત્યારે હવે વલસાડમાં કનુ દેસાઇના કોળી પટેલ પરના વિવાદિત નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ છે . ત્યારે આજ રોજ અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા રાજકોટમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર કનુ દેસાઈના વિવાદિત નિવેદન બાદ કોળી સમાજ નારાજ છે ત્યારે આજ રોજ અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા રાજકોટમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં અખિલ ભારતીય કોળી સમાજનાં ઉપપ્રમુખ મુન્નાભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે કોળી સમાજના અપમાન બદલ ભાજપ માફી માગે. જો ભાજપ માફી નહિ માગે તો ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું. ક્ષત્રિય સમાજની માફક અમે ક્ષમતા વાળા નથી કે મહા સંમેલન કરી શકીએ
પરંતુ અમારો રોષ મત પેટીમાં વ્યક્ત કરીશું.
શું આપ્યું કનું દેસાઈએ નિવેદન ?
ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ શરૂ થયેલું ક્ષત્રિય આંદોલન ભાજપ માટે માથાના દુખાવા સમાન બન્યું છે, ત્યારે હવે કોળી સમાજે ભાજપ સામે બાયો ચઢાવી છે. મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરાયેલ ટિપ્પણીને લઈને કોળી સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે.