Pgvcl દ્વારા કાર્યપાલક, નાયબ ઇજનેરને અપાયા બઢતીના ઓર્ડર
અધિક્ષક, કાર્યપાલક ઇજનેરની માંગણી મુજબ કરાઇ બદલી
રાજકોટ pgvcl મેનેજમેન્ટ દ્વારા વધુ એકવાર બઢતી-બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં નાયબ, કાર્યપાલક ઇજનેરને બઢતીના જ્યારે અધિક્ષક અને કાર્યપાલક ઈજનેરોને માંગણી મુજબ બદલીના ઓર્ડર કરાયા હતા.
રાજકોટ વિજતંત્ર દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી બઢતી અને અબ્દલિન ઓર્ડર કરવામાં આવી રહ્યા છે. મંગળવારે સાંજે વધુ એકવાર બઢતી અને બદલીના ઓર્ડર કરાયા હતા. જેમાં બોટાદના કાર્યપાલક ઇજનેર એન. એન.અમીનને બઢતી સાથે અધિક્ષક ઇજનેર તરીકે જામનગર સર્કલ ઓફિસમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે જુનાગઢમાં ડેપ્યુટી ઇજનેર તરીકે ફરજ બજાવતા જે.કે.માલવીને એક્ઝિક્યુટિવ ઇજનેર તરીકે જામનગર અને પોરબંદર કીર્તિ મંદિર સબ ડિવિઝનના કે.જી. શિંગડિયાને ગઢડા એક્ઝિક્યુટિવ ઇજનેર તરીકે ગઢડા બઢતી આપવામાં આવી છે.
આ ઉપરાંત માંગણી મુજબથી ભાવનગર સર્કલ ઓફિસના સુપ્રિટેન્ડીંગ ઇજનેર યુ.જીવસાવાને રાજકોટ કોર્પોરેટ ઑફિસ, જામનગર સર્કલ ઓફિસના વાય.આર. જાડેજાને ભાવનગર સર્કલ ઑફિસ બદલી કરવામાં આવી છે. ભાવનગર ગ્રામ્યના કાર્યપાલક ઇજનેર એસ.એલ. પટેલને ભાવનગર સિટી, માંડવીના જે.જે. ગોહેલને ભાવનગર ગ્રામ્ય, જસદણના એચ.યુ.ગોસાઇને ભાવનગર, ગઢડાના એચ.એમ.ભોજાણીની જસદણ ખાતે માંગણી મુજબ બદલી કરવામાં આવી છે. ઉપરાંત ભાવનગરના કાર્યપાલક ઇજનેર જે.એચ.ઠાકરને ભુજના માંડવી, એચ.આર.ખાડોદરાને મહુવા બદલી કરવામાં આવી છે.