રાજકોટમાં જીએસટી વિભાગ દ્વારા પઠાણી ઉઘરાણી શરૂ
90 દિવસથી ઉપરના જીએસટી રિટર્ન-ચલણ ડિફોલ્ડરોને ડીઆરસી-13ની મોકલાતી નોટિસ
રાજકોટમાં જીએસટી વિભાગ દ્વારા જીએસટી રજીસ્ટ્રેશન ધરાવતા વેપારીઓ કે જેમણે સમયસર રિટર્ન ફાઇલ કયું નથી અને રિટર્ન ફાઇલ કરવા માટેની નોટિસને સતત અવગણી રહ્યા છે તેમની સામે હવે ડીઆરસી-13 આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે રાજકોટ જીએસટી ડિવિઝન હેઠળ આવતા વેપારીઓ કે જે 90 દિવસથી ઉપરના જીએસટી રિટર્ન અને ચલણ ડિફોલ્ડર છે તેઓને ડીઆરસી-13ની નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. વેપારીઓ જો જીસટીઆર-3b ફાઇલ ન કરવામાં આવે તો 15 દિવસ બાદ અસેસમેન્ટ નોટિસ આપવામાં આવશે. વારંવાર આપવામાં આવતી નોટિસને વેપારીઓ દ્વારા અવગણના કરવામાં આવે તો ડીઆરસી-13 નોટિસ આપવાની કામગીરી કરવામાં આવે છે.
વેપારીઓને પ્રથમ ડીઆરસી, ડીઆરસી-1 જેવી નોટિસ આપવામાં આવે છે. તેના દ્વારા વેરો ભરવા માટે જાણ કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં આવી નોટિસોની અવગણના કરવામાં આવે તો અંતે ડીઆરસી-13ની નોટિસ આપવામાં આવે છે. ત્યારબાદ પણ જો વેપારીઓ રિસ્પોન્સ ન આપતા હોય તો સરકાર- ડીપાર્ટમેન્ટ દ્વારા બેન્ક ખાતા સીલ કરી વસૂલાત કરવામાં આવે છે. તેવું જાણવા મળી રહ્યું છે. દર મહિને આવી 5 થી 10 વેપારીઓને નોટિસ આપવામાં આવતી હોય છે. આ રૂટિન પ્રક્રિયા હોવાનુ પણ અધિકારીઓનું કહેવું છે.