Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

શાસ્ત્રી મેદાનમાં હીરાજડિત ગણપતિના કરો દર્શન

Tue, September 19 2023

મધુવન ક્લબ દ્વારા ‘રાજકોટ કા રાજા’નુ ભવ્ય આયોજન: શિવ તાંડવ, શ્રી નાથજીની ઝાંખી સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

રાજકોટમાં મંગળવારે શહેરીજનોએ વાજતે-ગાજતે વિઘ્ન હર્તા ગણેશજીનું સ્થાપન કર્યું હતું. વિશાળ પંડાલો ઉપરાંત અનેક લોકોએ ઘરે અને ઓફિસોમાં પણ ગણપતીજીની સ્થાપન કરી છે. 1 દિવસથી લઈને 9 દિવસ સુધી શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે ત્યારે રાજકોટમાં મધુવન કલબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાસ્ત્રી મેદાન ખાતે ‘રાજકોટ કા રાજા’ સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં ‘રાજકોટ કા રાજા’ ગણપતિ મહોત્સવ ખૂબ જ લોકપ્રિય છે અને ગણેશ મહોસત્વ દરમિયાન અહી હજારોની સંખ્યામાં ભક્તો દર્શનનો લ્હાવો લે છે.


મધુવન ક્લબ દ્વારા છેલ્લા 12 વર્ષથી સાર્વજનિક ગણેશ મહોત્સવનું આસ્થાભેર આયોજન કરવામાં આવે છે. આ અંગે મધુવન કલબના આશીષભાઈ વાગડિયાએ “વોઇસ ઓફ ડે” સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મધુવન ક્લબ દ્વારા શાસ્ત્રી મેદાનમાં આસ્થા અને હર્ષોઉલ્લાસ સાથે છેલ્લા 12 વર્ષથી ગણેશ સ્થાપન કરવામાં આવે છે અને આ દરમિયાન જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે 240 બાય 240ના વિશાળ ગ્રાઉન્ડમાં 50 બાય 80નો ભવ્ય ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 10 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યારે સિનિયર સિટીઝનો માટે 1500 જેટલી ખુરશી પણ રાખવામાં આવી છે.


‘રાજકોટ કા રાજા’ સાર્વજનિક ગણપતિ મહોત્સવમાં ઈકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. રોજ સાંજે 7:30 વાગ્યે ભવ્ય મહાઆરતી કરવામાં આવશે. જ્યારે 9 વાગ્યે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. અહીંયા મુખ્ય આકર્ષણ કહી શકાય તો તે એ છે કે, રાજકોટ અને ગુજરાતમાં પ્રથમ એવો મહોત્સવ છે કે જ્યાં બાબા અમરનાથના દર્શન શહેરીજનો કરી શકે છે. આ માટે 300 બરફની લાદી દ્વારા બર્ફીલા અમરનાથ તૈયાર કરવામાં આવે છે. જ્યારે અમરનાથ ગુફા પણ બનાવવામાં આવે છે. જેમાં ખાસ જંગલ જેવુ વાતાવરણ ઊભું કરવામાં આવે છે અને લોકો જાણે અમરનાથમાં હોય તેવો અનુભવ કરે છે. દર વર્ષે અંદાજે 30 થી 40 હજાર લોકો બાબા અમરનાથના દર્શન કરે છે. આ અમરનાથ દર્શન ગણેશ મહોત્સવના બીજા દિવસે સાંજે 7 વાગ્યે ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવે છે. મધુવન ક્લબ આયોજિત ગણેશ મહોત્સવમાં રોજે રોજ 108 આરતી કરવામાં આવે છે એટલે કે, આ આરતીમાં દર્શનાર્થી ભાઈ-બહેનો પણ આરતી કરી શકે છે. શાસ્ત્રી મેદાનમાં આયોજિત આ સાર્વજનિક ગણપતિ મહોત્સવનો લાભ લેવા આયોજકો આશિષભાઈ વાગડિયા, રાજુભાઇ કીકાણી, રાજભા ઝાલા સહિતના સભ્યો દ્વારા અપીલ કરવામાં આવી છે.


કલબના રાજુભાઇ કીકાણીએ કહ્યું હતું કે, ગણેશ મહોત્સવ દરમિયાન શ્રી નાથજીની ઝાંખી, શિવ તાંડવ, લોક ડાયરો, હસાયરો, કરાઓકે, ડાન્સ કોમ્પિટિશન, લાડુ સ્પર્ધા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું દરરોજ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે શક્ય હશે તો ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં કરવામાં આવતી ભસ્મ આરતી જેવી આરતીનું પણ આયોજન કરવાની કલબના સભ્યો દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. જો શક્ય બનશે તો રાજકોટના લોકોને ભસ્મ આરતીનો પણ લ્હાવો મળશે. પ્રથમ દિવસે દિવ્યાંગ બહેનો, વૃધ્ધાશ્રમમાં રહેતા વડીલો તેમજ અનાથાશ્રમના બાળકો દ્વારા મહા આરતી કરાવવામાં આવે છે અને તેમને પ્રસાદ (ભોજન) પણ આપવામાં આવે છે.


હીરાજડિત મૂર્તિનું સ્થાપન
શાસ્ત્રી મેદાનમાં વિશાળ પંડાલમાં ઉજવાતા ગણેશ મહોત્સવમાં આ વર્ષે મધુવન ક્લબ દ્વારા ગણેશજીની હીરાજડિત મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગણેશજીની મૂર્તિમાં 1 હજાર હીરા જડવામાં આવ્યા છે.

કલબના 100થી વધુ સભ્યો દ્વારા કરાઇ મહેનત
ગણપતિ મહોત્સવની તૈયારીઓ છેલ્લા 15 દિવસથી કરવામાં આવી રહી છે. વિશાળ ડોમ, સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન સહિતની કામગીરી માટે મધુવન કલબના 100થી વધુ સભ્ય દિવસ-રાત જહેમત ઉઠાવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

રાજકોટના સર્વેશ્વર ચોકમાં થશે બદ્રીનાથની થીમ પર ગણપતિ મહોત્સવ… જુઓ સ્પે. સ્ટોરી…

Next

ગાંધીનગરના દશેલા ગામમાં કાર પાણીમાં ડૂબી, 4 યુવકોના મોત, એક લાપત્તા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
New Whatsapp Rules: હવે દર 6 કલાકે WEB WhatsApp થશે લોગ આઉટ, સરકાર લાવી રહી છે નવા નિયમ, જાણો તમામ માહિતી
45 મિનિટutes પહેલા
ફૂડ પોઇઝનિંગ કે પોઇઝનિંગ? ત્યક્તાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત,પોસ્ટમોર્ટમ વિના જ લાશ સોંપી દીધી!
1 કલાક પહેલા
રાજકોટમાં વિસ્તાર ફરે એટલે સ્પીડબ્રેકરની સાઈઝ પણ ફરી જાય! પોલિસીનો ખુલ્લેઆમ ઉલાળિયો, જાણો કયા વોર્ડમાં કેટલા સ્પીડબ્રેકર
1 કલાક પહેલા
ગૃહમંત્રી દારૂ-ડ્રગ્સના દૂષણ બાબતે સર્વપક્ષિય બેઠક બોલાવે : ગોપાલ ઇટાલિયા લખ્યો પત્ર,દારૂ-ડ્રગ્સની રાજનીતિ ગરમાઇ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2703 Posts

Related Posts

અમેઠીની બેઠક પર ફરી ખિલશે કમળ કે પંજો બાજી મારશે ?? જાણો સમીકરણ અને ચૂંટણી ભૂતકાળ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સોમનાથથી દ્વારકા તરફ જતી કર્ણાટકના યાત્રાળુઓની બસ ટ્રક સાથે અથડાઈ : 2ના મોત, 12 લોકો ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
હરિયાણાની હાર અંગે રાહુલ ગાંધીએ કોના પર ગુસ્સો ઠાલવ્યો ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
નેટવર્ક નબડું પડ્યું કે ગુનાખોરીની પ્રવૃતિ ઘટી? સ્ટેટ મોનિટરિંગ સેલનો સૌરાષ્ટ્રમાં છેલ્લા 6 માસથી શુન્યાવકાશ! દરોડા સાવ ઘટયા
ક્રાઇમ
4 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર