ફ્રીમાં સારવાર કરતી એનિમલ હેલ્પલાઈન, 380 પશુઓની મેજર સર્જરી કરી આપ્યું નવજીવન
રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ-પક્ષી ઓની વિનામૂલ્યે સારવાર કરતું મોબાઈલ પશુ ચિકિત્સાલય’, ‘એનિમલ હેલ્પલાઈન અને વેટરનરી હોસ્પિટલ’ સ્વરૂપે સેવારત કરાયું છે.
અનેક સુવિધાઓથી સજજ પશુ દવાખાનામાં પશુ-પક્ષીઓ માટે ICU અને વેન્ટિલેટરનીસુવિધા, ઈશિશિંભફહ ભફતય માટે તમામ પ્રકારના લોહીના, લીવર-કીડનીના રીપોર્ટની સુવિધા, પશુ અને પક્ષીઓની બ્લડલેસ આધુનિક મશીનો દ્વારા સર્જરી, પશુ-પક્ષીમાં તૂટેલા હાડકાના પ્લેટિન્ગના, પથરીના, પેટ અને આંતરડા, આંખ, કેન્સર વગેરેના ઓપરેશન, પશુઓ માટે ECG, Bp, Spo2 ની આધુનીક મશીન વડે તપાસની સુવિધા, પશુ-પક્ષીના તમામ પ્રકારના રોગો માટેની સારવાર, પશુ-પક્ષીઓને તમામ પ્રકારની રસી આપવાની સુવિધા અને પશુ-પક્ષીઓની જાળવણી, માવજત, ખોરાક સંબંધી માર્ગદર્શન વિગેરે પ્રકારની અતિ આધુનિક તમામ પ્રકારની સારવાર દવાખાનામાં નિઃશુલ્ક આપવામાં આવે છે.
કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટના દવાખાનામાં અત્યાર સુધીમાં 13 લાખ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામૂલ્યે, નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, 11 (અગિયાર) એમ્બ્યુલન્સ તેમજ ત્રણ બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ 12,000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાંત પશુચિકીત્સકોની ટીમ દ્વારા, સ્થળ પર જ, વિના મૂલ્યે તેઓ સાજા થાય ત્યાં સુધીની સઘન-સારવાર કરવામાં આવે છે.
અત્યાર સુધીમાં આ દવાખાનામાં 11500 જેટલા પશુઓની સારવાર અને 384 મેજર ઓપરેશન થયેલા છે. પશુ દવાખાનાનો સમય સવારે 9 થી 1 અને સાંજે 4 થી 8 છે. (રવિવાર સિવાય) આ અંગે વધુ માહિતી માટે તેમજ નિઃશુલ્ક પશુ, પક્ષી સારવારની જાણકારી લેવા, નિઃશુલ્ક પશુ, પક્ષી સારવાર કરાવવા માટે મો. 7567075680 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.