NOC વગરની ૧૪ સ્કૂલ-૩ હોસ્પિટલને લાગ્યા સીલ
સેલસ-ગજાનંદ-ઝનની હોસ્પિટલે લાપરવાહી જ રાખી: કે.જી.ધોળકીયા, એસ.કે.પાઠક, પંચશીલ સહિતની સ્કૂલ પણ હડફેટે
મહાપાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ફાયર એનઓસીને લઈને આક્રમક સ્વરૂપ ધારણ કરી લેવામાં આવ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો જે મિલકત પાસે ફાયર એનઓસી ન હોય તેને સીધું સીલ જ મારી દેવામાં આવી રહ્યું હોય ભારે દોડધામ જોવા મળી રહી છે. મનપા કચેરીમાં દરરોજ સવારે ફાયર એનઓસી માટે અરજદારો રઝળપાટ કરી રહ્યા છે ત્યારે એનઓસી વગરની વધુ ૧૪ સ્કૂલ અને ૩ હોસ્પિટલને મનપાએ સીલ લગાવી દીધા છે.
શનિવારે ૧૮ મિલકતોને સીલ લગાવાયા હતા જેમાં વોર્ડ નં.૧માં સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ (લાખના બંગલા રોડ), વોર્ડ નં.૩માં બ્રિલિયન્ટ ક્લાસીસ-હોસ્ટેલ, વોર્ડ નં.૫માં મેહુલ, ન્યુ ફ્લોરા સ્કૂલ, વોર્ડ નં.૬માં ગોકુલ અને શ્રેયસ વિદ્યાલય, વોર્ડ નં.૯માં સેલસ હોસ્પિટલ, વોર્ડ નં.૧૦માં ડી એન્ડ ડી બિલ્ડિંગ અને ઝનની હોસ્પિટલ, વોર્ડ નં.૧૧માં કે.જી.ધોળકીયા સ્કૂલ, શ્રીમતિ એસ.કે.પાઠક સ્કૂલ અને જીવન જ્યોત વિદ્યામંદિર, વોર્ડ નં.૧૨માં રેડ એન્ડ વ્હાઈટ મલ્ટી મીડિયા એજ્યુકેશન, ગજાનંદ હોસ્પિટલનો ચોથો માળ, વોર્ડ નં.૧૩માં બાલ વાટિકા કમ હોસ્ટષલ, પંચશીલ-સર્વોદય સ્કૂલના ટોપ ફ્લોર, વોર્ડ નં.૧૬માં ગેલમા પ્રાથમિક સ્કૂલ, વોર્ડ નં.૧૭માં જે.વી.વિદ્યાલય, જીવન જ્યોત વિદ્યાલય અને વોર્ડ નં.૧૮માં શુભમન હોસ્પિટલનો સમાવેશ થાય છે.