PF ધારકોને હવે ક્લેમ વગર મળશે પુરા પૈસા
-વ્યાજ સહિતની રકમ સીધી આધાર-લિંક્ડ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરશે.
નવી દિલ્હી: પ્રોવિડન્ટ ફંડ ધારકોને રાહત મળે તેવા સમાચાર આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન-ઈ.પી.એફ.ઓ.એ બેંકો, એલ.આઈ.સી. અને ઈ.પી.એફ.ઓ.માં પડેલા હજારો કરોડો રૂપિયા ૧.૧૮ લાખ જેટલા ખાતા ધારકને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. મોટાભાગે આ રકમ ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં ટ્રાન્સફર થઇ જશે.
ખરેખર, ડિએક્ટિવ પીએફ ભંડોળ કોઈપણ ઑફલાઇન અથવા ઑનલાઇન ક્લેમ વિના સીધા ૧.૧૮ લાખથી વધુ કર્મચારીઓના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવશે. શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના ઇપીએફઓએ આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે 1.18 લાખ ડિએક્ટિવ ખાતાઓની ઓળખ અને ચેકિંગ પૂરી કરી છે.
અત્યાર સુધી, જૂના અથવા ડિએક્ટિવ પીએફ ખાતામાંથી ભંડોળ ઉપાડવા માટે, ખાતાધારકે ઑનલાઇન અથવા ઑફલાઇન દાવો દાખલ કરવો પડતો હતો. જો કે, સરકારની નવી ઓટોમેટિક રિફંડ સિસ્ટમ હેઠળ, પીએફ સબ્સ્ક્રાઇબર્સને કોઈપણ ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. ઇપીએફઓ આવા ખાતાઓને આપમેળે ઓળખશે અને વ્યાજ સહિતની સંપૂર્ણ રકમ સીધી તેમના આધાર-લિંક્ડ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરશે.
આ પણ વાંચો: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સૌથી કિંમતી ટીમ: બ્રાન્ડ વેલ્યુ 2979 કરોડને પાર
શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ 23 ફેબ્રુઆરી, 2026ના રોજ આ પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા કે તેથી ઓછી રકમ જમા કરાવતા ડિએક્ટિવ પીએફ ખાતાઓને આવરી લેવામાં આવ્યા છે. હાલમાં, આશરે 7.11 લાખ આવા ખાતાઓ ઓળખવામાં આવ્યા છે, જેમાં કુલ 30.52 કરોડ રૂપિયાનો ક્લેમ ન કરેલી રકમ પડી છે.
ઇપીએફઓએ જણાવ્યું હતું કે 1.18 લાખ સબ્સ્ક્રાઇબર્સના બેંક ખાતાઓ સહિત બાકીની ચેકિંગ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રક્રિયા સુરક્ષિત અને સરળ બને તે માટે, ઇપીએફઓએ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. આધાર-લિંક્ડ બંધ પીએફ ખાતાઓને એક્ટિવ બેંક ખાતાઓ સાથે મેચ કરવા માટે ખાતાઓમાં ઓછામાં ઓછી 1 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરીને ચકાસણી કરવામાં આવી હતી.
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળની સંસ્થા C-DACને EPFOના IT પ્લેટફોર્મને અપગ્રેડ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. નવા પ્લેટફોર્મમાં “સિસ્ટમ-જનરેટેડ ક્લેમ” ફીચર ઉમેરવામાં આવી રહ્યું છે, જે સિસ્ટમને બંધ ખાતાઓ માટે આપમેળે ક્લેમ પર પ્રક્રિયા કરવાની મંજૂરી આપે છે. આ IT અપગ્રેડ ઓગસ્ટના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, ત્યારબાદ નાણાં ટ્રાન્સફર શરૂ થશે.
જો ₹1,000 સુધીના બેલેન્સનો સમાવેશ કરતો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થાય છે, તો સરકાર તેને મોટા પાયે અમલમાં મૂકશે. આ પછી, ₹1,000 થી વધુ બેલેન્સ ધરાવતા 24.76 લાખ બંધ ખાતાઓમાં ભંડોળ આપમેળે પરત કરવામાં આવશે.
આંકડા મુજબ, નોકરીમાં ફેરફાર અથવા અગાઉની કંપનીઓમાંથી PF ટ્રાન્સફર કરવામાં ફેલને કારણે છેલ્લા બે દાયકામાં આશરે 31.86 લાખ બંધ ખાતા છે. આમાંથી, લગભગ 10,903 કરોડ રૂપિયાની મોટી રકમ ક્લેમ વગર પડી છે.
