કાઝીરંગા નેશનલ પાર્ક માં ડૂબી જવાથી 159 પ્રાણી ના મોત
આસામમાં ભારે વરસાદે કહેર વરસાવ્યો
62 વાઇલ્ડ લાઇફ ડિવિઝન હજુ પણ પાણીમાં
આસામના પ્રખ્યાત કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલા સૌથી ભયંકર પૂરમાં અત્યાર સુધીમાં કુલ 159 વન્ય પ્રાણીઓ ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે, મૃત પ્રાણીઓમાં નવ ગેંડા, 142 હોગ ડીયર, બે સાંબર, એક રીસસ મકાક અને એક ઓટરનો સમાવેશ થાય છે. આ પૈકીના 22 પ્રાણીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. તેમાં 17 હોગ ડીયર, ત્રણ સ્વેમ્પ ડીયર અને એક રીસસ મેકાક અને એક ઓટર પપનો સમાવેશ થાય છે
આસામમાં આવેલા ભયાનક પૂરને કારણે માનવ ઉપરાંત વન્યજીવ સૃષ્ટિને પણ મોટું નુકસાન થયું છે. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં પૂરના પાણીને કારણે ગંભીર સ્થિતિ નિર્માણ પામી હતી. વન્ય અધિકારીઓએ કરેલા પ્રયાસોને કારણે જો કે 120 હોગ ડીયર, ત્રણ સ્વેમ્પ ડીયર, ગેંડા, સાંબર, હાથી અને સ્કોપ્સ ઘુવડના બે-બે અને સસલું, રીસસ મેકાક, ઓટર અને એક જંગલી બિલાડીને બચાવવામાં સફળતા મળી હતી. વન્ય અધિકારીના જણાવ્યા અનુસાર હાલમાં, 7 પ્રાણીઓ તબીબી સંભાળ હેઠળ છે જ્યારે 111 અન્યને સારવાર બાદ મુક્ત કરવામાં આવ્યા છે,
નોંધનીય છે કે 2017માં પૂરના પાણીમાં તણાઈ જવાને કારણે તેમજ સ્થળાંતર દરમિયાન વાહનો સાથે અથડાવાને કારણે 350 કરતા વધુ વન્યજીવો માર્યા ગયા હતા. તે પછીની આ સૌથી મોટી ઘટના છે. સતાવાડાઓના જણાવ્યા અનુસાર પૂર્વીય આસામ વાઇલ્ડલાઇફ ડિવિઝનમાં કુલ 233 શિબિરોમાંથી 62 હજુ પણ પાણી હેઠળ ડૂબેલી છે.