પાકની શું ચાલ છે ભારત સામે ? વાંચો
પાકિસ્તાનને કારણ વગર આતંકવાદીઓનું માસ્ટર નથી કહેવામાં આવતું. આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને ભારત સામે વારંવાર હારનો સામનો કરવો પડ્યો છે. આ પછી પણ તે આતંકવાદને પોષી રહ્યો છે. પાકિસ્તાન હાથીના દાંત જેવું છે – એક ખાવા માટે અને એક બતાવવા માટે ! એક તરફ તેના આતંકવાદીઓએ જમ્મુમાં માતા વૈષ્ણો દેવીના ભક્તો પર ગોળીબાર કર્યો હતો. અને હવે પાકિસ્તાન મોદીને તેમની જીત પર અભિનંદન આપવાનું નાટક કર્યું છે. બેશરમીની પરાકાષ્ટા બતાવી છે.
મોદીને જીત પર અભિનંદન આપીને પાકિસ્તાન ભલે સારું બની જાય, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેના દિલમાં સાપ ફરી ગયો હશે. જમ્મુના રિયાસીમાં આ આતંકવાદી હુમલો તે દિવસે થયો જ્યારે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ રહ્યા હતા.
પીએમ મોદીએ રવિવારે સતત ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા. પીએમ મોદીના શપથ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનો મેસેજ આવ્યો હતો અને તેણે એક પોસ્ટ મૂકીને લખ્યું હતું કે વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ નરેન્દ્ર મોદીને અભિનંદન . જ્યારે રિયાસી આતંકી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી સામે આવી ત્યારે શાહબાઝ શરીફે મોદીને અભિનંદન પાઠવ્યા હતા.