બજેટમાં સામાજિક સુરક્ષા હેઠળ સરકાર શું જાહેર કરી શકે છે ? વાંચો
કેન્દ્ર સરકાર સેવાનિવૃત્ત બાદ વૃદ્ધોને સામાજિક સુરક્ષા હેઠળ વ્યાપક લાભ આપવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે. જેના હેઠળ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન સાથે જોડાયેલા કર્મચારીઓને પોતાના પીએફ ફંડને પેન્શનમાં બદલવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે. બજેટમાં આ અંગે જાહેરાત થવાની સંભાવના છે.
આમ થવાથી રિટાયરમેન્ટ બાદ કર્મચારીઓને વધુ પેન્શન મળી શકશે. એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે આગામી નાણાકીય વર્ષ 2025-26 ના બજેટમાં પણ સરકાર સામાજિક સુરક્ષાને લઈને જાહેરાત કરી શકે છે. સમાજના મોટા વર્ગને આનો લાભ મળી શકે છે .

સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના આદેશ પર શ્રમ અને રોજગાર મંત્રાલય પહેલેથી સામાજિક સુરક્ષા યોજનાનો વિસ્તાર વધારવાના વિકલ્પો પર કામ કરી રહ્યું છે. નવા વિકલ્પો હેઠળ શ્રમિકોને ઘણા પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. ઈપીએફઓ સાથે જોડાયેલા શ્રમિક પીએફ ફંડમાં જમા રકમને રિટાયરમેન્ટના સમયે પેન્શન તરીકે બદલી શકશે.
આનો અર્થ એ છે કે સેવા નિવૃત્તિના સમયે કોઈ કર્મચારીને લાગે છે કે તેને વૃદ્ધા વસ્થામાં પેન્શન વધુ જોઈશે તો તે ફંડમાં જમા રકમને પેન્શન ફંડમાં નાખી શકે છે. તેનાથી પેન્શન તરીકે મળનાર રકમ વધી જશે.
આ રીતે જો કોઈ કર્મચારીને રિટાયરમેન્ટના સમયે લાગે છે કે તેની પાસે આવકના અન્ય વિકલ્પ છે અને તેને 58 વર્ષની ઉંમરમાં સેવાનિવૃત્ત થવા પર પેન્શન જોઈતું નથી પરંતુ તે પેન્શનને 60-65 કે અન્ય કોઈ ઉંમરથી શરૂ કરવા ઈચ્છે છે તો આ વિકલ્પ પણ આપવામાં આવશે. દરમિયાન પેન્શન ફંડમાં જમા રકમ પર વાર્ષિક વ્યાજ જોડાતું રહેશે અને જે ઉંમરથી શરૂ કરવા ઈચ્છશે, તેનાથી તે હિસાબથી પેન્શન મળવાનું શરૂ થઈ જશે.