Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

સીએએ સામે સ્ટે નહીં: ત્રણ અઠવાડિયામાં જવાબ આપવા સુપ્રીમનો સરકારને આદેશ

Wed, March 20 2024

અગામી સુનાવણી 9 એપ્રિલે: ત્યાં સુધીમાં કોઈને નાગરિકત્વ અપાય તો દાદ માંગવાની અરજદારોને છૂટ

સીએએના અમલ સામે સ્ટે આપવાની માંગણી કરતી 237 અરજીઓ પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચડ,જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બંચે સ્ટે આપવાનો ઇનકાર કરી કેન્દ્ર સરકારને ત્રણ અઠવાડિયામાં જવાબ આપવાનો આદેશ કર્યો હતો.આ કેસની આગલી સુનાવણી 9 એપ્રિલના રોજ થશે.સુનાવણી દરમિયાન અરજદારોએ એ તારીખ સુધીમાં કોઈને નાગરિકત્વ ન આપવામાં આવે એવો આદેશ કરવા કરેલી માંગણીના પ્રત્યુતરમાં અદાલતે જો એવું કંઈ બને તો અદાલતનો સંપર્ક કરવા જણાવ્યું હતું.


સરકાર વતી દલીલ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે 237 અરજી થઈ છે અને તેનો અભ્યાસ કરી જવાબ દેવામાં સમય લાગી શકે છે. આ સંજોગોમાં તેમણે જવાબ આપવા માટે ચાર અઠવાડિયાની માંગણી કરી હતી.


અરજદારો વતી એડવોકેટ કપિલ સિબલે એ માગણી નો વિરોધ કર્યો હતો. તેમણે તથા અન્ય વકીલોએ પણ કેન્દ્ર સરકાર જવાબ રજૂ ન કરે ત્યાં સુધી કોઈને નાગરિકત્વ ના આપવાની માગણી કરી હતી. તેમણે એ સમય દરમિયાન કોઈને નાગરિકત્વ નહીં આપવામાં આવે એવી ખાતરી માગી હતી. જોકે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એવું કોઈ પણ નિવેદન કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે આ કાયદો કોઈની નાગરિકતા છીનવતો નથી પરંતુ નાગરિકતા આપે છે.


ચીફ જસ્ટિસ ચંદ્રચુડે પણ કહ્યું કે સોલિસિટર જનરલ એ મુદ્દે કોઈ નિવેદન કરવા માગતા નથી આ સંજોગોમાં અમે સરકારને ત્રણ મહિનામાં જવાબ રજૂ કરવા જણાવીએ છીએ. કપિલ સિબ્બલ ફરી એક વખત જ્યારે આગલી સુનવણી સુધી કોઈને નાગરિકત્વ ના આપવા નો મુદ્દો દોહરાવ્યો ત્યારે ચીફ જસ્ટીસે નાગરિકત્વ આપવા માટે કોઈ પ્રક્રિયા શરૂ થઈ છે કે કેમ તેઓ સવાલ કર્યો હતો. તેના જવાબમાં તુષાર મહેતાએ જણાવ્યું કે અરજદારની અરજી સૌપ્રથમ એક કમિટી પાસે જાય છે. ત્યારબાદ એ વધુ એક ઉચ્ચ સમિતિ પાસે જાય છે અને ત્યારબાદ કેન્દ્ર સરકારને મોકલવામાં આવે છે. તેમણે કહ્યું કે નિર્ણય કેટલા સમયમાં લેવાય તે વ્યક્તિગત અરજદારની હકીકતો પર આધારિત છે.


નોંધનીય છે કે સીએએ અંતર્ગત 2014 પહેલા ધાર્મિક દમનને કારણે ભારતમાં સ્થાયી થયેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી લોકોને ભારતનું નાગરિકત્વ આપવામાં આવશે. એ કાયદામાં મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા તે ગેરબંધારણીય છે એવી દલીલ સાથે તે કાયદો રદ કરવા અને તેના અમલ સામે સ્ટે આપવા માટે કેરાલાની ઇન્ડિયન મુસ્લિમ લીગ, કોંગી નેતા જયરામ રમેશ, તૃણમુલ કોંગ્રેસના નેતા મહુઆ મોહિત્રા અને આસામના કેટલાક સંગઠનો સહિત કુલ 237 અરજી કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

IPLમાં પિયુષ ચાવલાએ ખાધાં સૌથી વધુ છગ્ગા, જાડેજા પણ પાછળ નથી !

Next

રૂડા’ના વિકાસ ચાર્જમાં વધારો: ખુલ્લી જમીનના પ્રતિ ચો.મી. ૫૦ વસૂલાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
8 સેકન્ડ પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
50 મિનિટutes પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
1 કલાક પહેલા
રાજકોટના મવડી વિસ્તારમાં ઝેપ્ટોના કર્મચારીઓએ પગાર બાબતે કંપનીના બે અધિકારીઓને ફટકાર્યા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

ફિલ્મ બોર્ડર-2ની જાહેરાત : 27 વર્ષ બાદ સની દેઓલ ફરી સૈનિક તરીકે જોવા મળશે, અભિનેતાએ શેર કર્યો વિડીયો
Entertainment
12 મહિના પહેલા
અમેરિકી પ્રમુખ પદની રેસમાં સામેલ મૂળ ભારતીય રામાસ્વામી લોકપ્રિયતામાં રિપબ્લિકન પાર્ટી માં બીજા નંબરે પહોંચી ગયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્ર: સ્પીકર ફેસલો નહીં કરે તો અમે કરશું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજામૌલી પાગલ વ્યક્તિ છે: જુનિયર NTR
Entertainment
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર